Interim Budget 2024:મધ્યમ વર્ગને મોદી સરકારની મોટી ભેટ! ઘર ખરીદવા માટે લાવશે આવાસ યોજના, આગામી પાંચ વર્ષમાં આટલા કરોડ લોકોને મળશે ઘર..

Interim Budget 2024: આજે બજેટમાં મધ્યમ વર્ગને પણ મોટી ભેટ મળી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે સરકાર નવી યોજનાની જાહેરાત કરશે. આ યોજના હેઠળ મધ્યમ વર્ગ પોતાનું મકાન બનાવી અથવા ખરીદી શકશે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે લાલ કિલ્લા પરથી પોતાના ભાષણમાં પીએમ મોદીએ મધ્યમ વર્ગ માટે આ યોજના લાવવાની વાત કરી હતી.

by kalpana Verat
Interim Budget 2024 FM announces new housing scheme for middle class and 2 crore more houses under PMAY-Gramin

News Continuous Bureau | Mumbai 

Interim Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2024માં ( Budget 2024 ) એવા મધ્યમ વર્ગ માટે મોટી જાહેરાત કરી છે જેમની પાસે પોતાનું ઘર નથી. નિર્મલા સીતારમણે કહ્યું છે કે સરકાર યોગ્ય મધ્યમ વર્ગ માટે પોતાનું ઘર ખરીદવા અથવા બનાવવા માટે આવાસ યોજના શરૂ કરશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ( Nirmala Sitharaman ) 2024-25ના વચગાળાના કેન્દ્રીય બજેટમાં જાહેરાત કરી હતી કે સરકાર ભાડાના મકાનોમાં ( rented houses ) રહેતા લોકો તેમજ ઝૂંપડપટ્ટીમાં અથવા અનધિકૃત વસાહતોમાં રહેતા લોકો માટે પોતાનું ઘર ખરીદવા અથવા બાંધવા માટે આવાસ યોજના શરૂ કરશે. મહત્વનું છે કે સરકાર પહેલાથી જ પીએમ આવાસ યોજના ( PM Awas Yojana ) હેઠળ ગરીબો માટે ઘર બનાવી રહી છે. 

નાણામંત્રીએ શું કહ્યું?

વચગાળાનું બજેટ રજૂ કરતાં તેમણે કહ્યું, અમારી સરકાર મધ્યમ વર્ગ માટે નવી યોજના જાહેર કરશે. આ યોજના હેઠળ, ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટીઓ, અનધિકૃત કોલોનીઓ અને ચાલમાં રહેતા લોકો પોતાનું મકાન બનાવી અથવા ખરીદી શકશે.

PM મોદીએ 15 ઓગસ્ટ, 2023ના રોજ કહ્યું હતું કે, ચાલ, ઝૂંપડપટ્ટી અને ભાડાના મકાનોમાં રહેતા શહેરી લોકો માટે અમે આગામી વર્ષોમાં એક યોજના લાવવા જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે જો કોઈ ઘર બનાવશે તો તેને બેંકમાંથી જે લોન મળશે તેમાં અમે તેને રિબેટ આપીશું. જેથી તે લાખો રૂપિયા બચાવી શકે. તે જ સમયે, આવાસ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપ સિંહ પુરીએ આ વર્ષે 12 જાન્યુઆરીએ કહ્યું હતું કે હોમ લોન પર સબસિડી આપવાની યોજના તેના અંતિમ તબક્કામાં છે. આ યોજનાનો લાભ મધ્યમ વર્ગને મળશે.

બજેટમાં સરકારે પીએમ આવાસ યોજના ( PM Housing Scheme ) (શહેરી અને ગ્રામીણ) હેઠળ નાણાકીય વર્ષ 2024-25 માટે 80,671 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. જે ચાલુ નાણાકીય વર્ષના અંદાજિત ખર્ચ કરતાં રૂ. 79,590 કરોડ વધુ છે. તેમણે કહ્યું કે આગામી 5 વર્ષ દરમિયાન પીએમ આવાસ યોજના હેઠળ 2 કરોડ ગ્રામીણ લોકો માટે ઘર બનાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Gyanvapi case: હિન્દુ સંગઠને જ્ઞાનવાપીના સાઈન બોર્ડ પરથી હટાવ્યો ‘મસ્જિદ’ શબ્દ, આ પોસ્ટર ચોંટાડ્યું.. જુઓ વિડીયો.

પીએમ આવાસ યોજનામાં 70% ઘર મહિલાઓને

પીએમ આવાસનો ઉલ્લેખ કરતા નાણામંત્રીએ કહ્યું કે 70 ટકા ઘર મહિલાઓને આપવામાં આવ્યા છે. પીએમ સંપદા યોજનાથી 38 લાખ ખેડૂતોને ફાયદો થયો છે. તેમણે 9 થી 14 વર્ષની છોકરીઓ માટે સર્વાઇકલ કેન્સરની રસી અને લખપતિ દીદી યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આયુષ્માન ભારતનો લાભ તમામ આશા વર્કર અને આંગણવાડી કાર્યકરોને આપવામાં આવશે. તેમણે મધ્યમ વર્ગ માટે આવાસ યોજના અને 1 કરોડ ઘરોમાં સોલાર પેનલ આપવાની સરકારની યોજનાને ગેમ ચેન્જર ગણાવી હતી.

3 કરોડ ઘર બનાવવાનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે

નાણામંત્રીએ કહ્યું કે સરકાર લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આર્થિક નીતિ બનાવશે. આર્થિક નીતિઓ લાગુ કરવા માટે રાજ્યો સાથે મળીને કામ કરશે. તેમણે કહ્યું કે સરકારે 3 કરોડ ઘર બનાવવાનું લક્ષ્ય હાંસલ કર્યું છે. આગામી 5 વર્ષમાં 2 કરોડ વધુ મકાનો બનાવવામાં આવશે.

અર્બન અને અફોર્ડેબલ હાઉસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરીને, કેન્દ્રીય બજેટ 2023માં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ફાળવણી 66 ટકા વધારીને નાણાકીય વર્ષ 2024 માટે રૂ. 79,000 કરોડ કરવામાં આવી હતી. તેમાંથી 25,103 કરોડ રૂપિયા PMAY-અર્બનને ‘બધા માટે આવાસ’ મિશનને વેગ આપવા માટે ફાળવવામાં આવ્યા હતા, જ્યારે બાકીની રકમ PMAY-ગ્રામીણ યોજના માટે હતી.

આવકવેરામાં કોઈ ફેરફાર નહીં

જોકે મધ્યમ વર્ગના લોકોને આ બજેટથી થોડી નિરાશા પણ મળી છે. મધ્યમ વર્ગ હંમેશા બજેટમાં આવકવેરા મુક્તિમાં વધારાની અપેક્ષા રાખે છે, તેથી આ વખતે પણ આશા હતી. પરંતુ આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે આવકવેરામાં કોઈ ફેરફાર નહીં કરવાની જાહેરાત કરી છે.

આ સમાચાર પણ વાંચો :  Gyanvapi Case:31 વર્ષ બાદ મોડી રાત્રે ખૂલ્યું જ્ઞાનવાપી પરિસરનું વ્યાસ ભોંયરું, કરાઇ પૂજા-અર્ચના.. પ્રસાદનું પણ કરાયું વિતરણ. જુઓ વિડીયો..

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More