અફઘાનિસ્તાન ના હેરાત પ્રાંતમાં તાલિબાન અને સશસ્ત્ર લોકો વચ્ચે અથડામણ, આટલા લોકોના નિપજ્યા મોત 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 ઑક્ટોબર, 2021

સોમવાર

તાલિબાનના કબ્જા પછી અફઘાનિસ્તાનમાં હુમલાઓનું પ્રમાણ વધ્યું છે. 

અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં તાલિબાન અને સશસ્ત્ર લોકોના જૂથ વચ્ચેની અથડામણમાં 17 લોકોના મોત થયા છે. 

આ મૃત પામેલા લોકોમાં સાત બાળકો, ત્રણ મહિલાઓ અને સાત પુરૂષોનો સમાવેશ થાય છે. આ બધાના મોત ગોળી વાગવાથી થયા હતા.

અફઘાન અધિકારીઓના જણાવ્યા અનુસાર તાલિબાનોએ હેરાતમાં અપહરણમાં સામેલ સ્થાનિક ગુનેગારો સામે ખાસ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં ઓછામાં ઓછા ત્રણ ગુનેગારોના મોત નિપજ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે તાલિબાન 15 ઓગસ્ટના રોજ રાજધાની કાબુલ પર કબ્જો કર્યા બાદ અફઘાનિસ્તાનમાં સત્તા પર આવ્યું હતું. 

મુંબઈના ગગનચુંબી ઇમારતવાસીઓની સુરક્ષા ભગવાન ભરોસે; આ કારણો થકી ફાયર બ્રિગેડને બચાવકાર્યમાં અગવડ પડે છે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More