292
Join Our WhatsApp Channel
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ફેબ્રુઆરી 2022
બુધવાર
બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં વાવાઝોડું સતત તબાહી મચાવી રહ્યું છે.
અહીં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન અને પૂરમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે.
બચાવ ટુકડીઓ પેટ્રોપોલિસ વિસ્તારના અસરગ્રસ્ત વિસ્તારમાં પીડિતોની શોધ કરી રહી હોવાથી મૃત્યુઆંક વધુ વધવાની ધારણા છે.
રિયો રાજ્યના અગ્નિશમન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 180 સૈન્ય કર્મચારીઓ બચાવ કામગીરીમાં રોકાયેલા છે.
આ વિસ્તારમાં દિવસના ત્રણ કલાકમાં 25.8 સેમી વરસાદ નોંધાયો છે, જે અગાઉના 30 દિવસમાં પડેલા વરસાદની બરાબર છે.
You Might Be Interested In