Site icon News Continuous Bureau | Mumbai

આર્મેનિયા અને અઝરબૈજાનનું યુદ્ધ સમાપ્ત.. એક મહિનાના યુદ્ધમાં 5 હજાર લોકો માર્યા ગયા..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

26 ઓક્ટોબર 2020

આર્મેનિયા અને અઝરબૈજાનની લડાઇ 29 દિવસ ચાલી. છેવટે બંને દેશો  26 ઓક્ટોબરની મધ્યરાત્રિથી યુદ્ધવિરામ લાગુ કરવા સંમત થયા હતા. યુ.એસ.ની પહેલ પર, આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે યુદ્ધવિરામ થયું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશ પ્રધાન માઇક પોમ્પિયો દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી. 

નોંધપાત્ર વાત એ છે કે વિશ્વના નકશામાં આર્મેનિયા અને અઝરબૈજાન બે ખૂબ નાના દેશો છે, પરંતુ તેમની વચ્ચે, નાગોર્નો કારાબખને લઈને લગભગ એક મહિનાથી ભયંકર યુદ્ધ ચાલી રહયું હતું. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ યુદ્ધમાં બંને તરફથી આશરે 5000 લોકો માર્યા ગયા છે. આને કારણે, દરેકની નજર આ બંને દેશો પર છે.

આ પહેલા આર્મેનિયા અને અઝરબૈજાને એકબીજા પર શાંતિપૂર્ણ સમાધાનમાં અવરોધો મૂકવાનો આરોપ મૂક્યો હતો. આર્મેનિયાએ આઝેરી સૈન્ય પર નાગરિક વિસ્તારોમાં બોમ્બ મારો કરવાનો આરોપ લગાવ્યો હતો. તે જ સમયે, અઝરબૈજિને આ આરોપને નકારી કાઠયો અને કહ્યું કે તે યુદ્ધવિરામનો અમલ કરવા માટે તૈયાર છે, પરંતુ પહેલા આર્મેનિયન સૈન્યે યુદ્ધનું મેદાન છોડવું પડશે.

રશિયન મધ્યસ્થી દ્વારા આ યુદ્ધમાં આગાઉ બે યુદ્ધવિરામના પ્રયાસો થયા છે, પરંતુ બંને યુદ્ધવિરામ ટકી શક્યા નહીં અને લડત ફરી શરૂ થઈ હતી. હવે એ જોવું રહ્યું કે અમેરિકા દ્વારા કરવામાં આવેલા યુદ્ધવિરામનો સમયગાળો કેટલા દિવસોનો રહે છે. શું આર્મેનિયા અને અઝરબૈજાન શાંતિના માર્ગ પર પાછા આવશે અથવા થોડા દિવસો પછી બંને દેશો ફરી યુદ્ધના મેદાનમાં સામસામે જોવા મળશે..

Teesta River Project તીસ્તા નદી પ્રોજેક્ટ માટે બાંગ્લાદેશે ચીનની મદદ માંગી ભારત માટે વધ્યું સુરક્ષાનું જોખમ
India US Trade Deal ભારતઅમેરિકાની મેગા ટ્રેડ ડીલ સફળતાના આરે કે અટવાઈ ગઈ વાત? જાણો લેટેસ્ટ અપડેટ
Ayatollah Ali Khamenei ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામૈનેઈના અંતિમ સંસ્કાર માટે PM મોદીને આમંત્રણ
US Iran Relations હોર્મુઝની સામુદ્રધુની, આર્થિક પ્રતિબંધો અને પરમાણુ હથિયાર; અમેરિકા પાસે આખરે શું ઈચ્છે છે ઈરાન?
Exit mobile version