Site icon News Continuous Bureau | Mumbai

આર્મેનિયા અને અઝરબૈજાનનું યુદ્ધ સમાપ્ત.. એક મહિનાના યુદ્ધમાં 5 હજાર લોકો માર્યા ગયા..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

26 ઓક્ટોબર 2020

આર્મેનિયા અને અઝરબૈજાનની લડાઇ 29 દિવસ ચાલી. છેવટે બંને દેશો  26 ઓક્ટોબરની મધ્યરાત્રિથી યુદ્ધવિરામ લાગુ કરવા સંમત થયા હતા. યુ.એસ.ની પહેલ પર, આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે યુદ્ધવિરામ થયું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશ પ્રધાન માઇક પોમ્પિયો દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી. 

નોંધપાત્ર વાત એ છે કે વિશ્વના નકશામાં આર્મેનિયા અને અઝરબૈજાન બે ખૂબ નાના દેશો છે, પરંતુ તેમની વચ્ચે, નાગોર્નો કારાબખને લઈને લગભગ એક મહિનાથી ભયંકર યુદ્ધ ચાલી રહયું હતું. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ યુદ્ધમાં બંને તરફથી આશરે 5000 લોકો માર્યા ગયા છે. આને કારણે, દરેકની નજર આ બંને દેશો પર છે.

આ પહેલા આર્મેનિયા અને અઝરબૈજાને એકબીજા પર શાંતિપૂર્ણ સમાધાનમાં અવરોધો મૂકવાનો આરોપ મૂક્યો હતો. આર્મેનિયાએ આઝેરી સૈન્ય પર નાગરિક વિસ્તારોમાં બોમ્બ મારો કરવાનો આરોપ લગાવ્યો હતો. તે જ સમયે, અઝરબૈજિને આ આરોપને નકારી કાઠયો અને કહ્યું કે તે યુદ્ધવિરામનો અમલ કરવા માટે તૈયાર છે, પરંતુ પહેલા આર્મેનિયન સૈન્યે યુદ્ધનું મેદાન છોડવું પડશે.

રશિયન મધ્યસ્થી દ્વારા આ યુદ્ધમાં આગાઉ બે યુદ્ધવિરામના પ્રયાસો થયા છે, પરંતુ બંને યુદ્ધવિરામ ટકી શક્યા નહીં અને લડત ફરી શરૂ થઈ હતી. હવે એ જોવું રહ્યું કે અમેરિકા દ્વારા કરવામાં આવેલા યુદ્ધવિરામનો સમયગાળો કેટલા દિવસોનો રહે છે. શું આર્મેનિયા અને અઝરબૈજાન શાંતિના માર્ગ પર પાછા આવશે અથવા થોડા દિવસો પછી બંને દેશો ફરી યુદ્ધના મેદાનમાં સામસામે જોવા મળશે..

Nirav Modi UK Court Order ભગોડા હીરા કારોબારી નીરવ મોદીને બ્રિટિશ કોર્ટનો મોટો ઝટકો, બેંક ફ્રોડ કેસમાં ૧૦૦ કરોડથી વધુ ચૂકવવાનો આદેશ
Donald Trump Approval Rating Drop અમેરિકામાં ટ્રમ્પનો ક્રેઝ ઘટ્યો? મોંઘવારી અને યુદ્ધની નીતિઓથી નારાજ જનતાએ ફેરવ્યું મોં, સામે આવ્યા ચોંકાવનારા આંકડા!
US Iran Nuclear Inspection Dispute ઈરાનના પરમાણુ પ્લાન્ટ્સ પર અમેરિકાની કડક નજર, ટ્રમ્પની ધમકીથી વૈશ્વિક રાજકારણ ગરમાયું
Qatar Gas Plant Accident PM Modi પીએમ મોદી અને કતારના અમીર વચ્ચે ફોન પર વાતચીત, ગેસ પ્લાન્ટ દુર્ઘટનામાં માર્યા ગયેલા ભારતીયો પ્રત્યે દર્શાવી સહાનુભૂતિ
Exit mobile version