કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને આ ઉત્તર અમેરિકન દેશએ ભારતની પેસેન્જર ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 21 સપ્ટેમ્બર સુધી લંબાવ્યો.. જાણો વિગતે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 ઑગસ્ટ, 2021

મંગળવાર

કોરોનાના વધતા જતા કેસોને પગલે કેનેડાની સરકારે ભારતથી આવતી પેસેન્જર ફ્લાઇટ્સ પર પ્રતિબંધને વધુ 30 દિવસ માટે લંબાવ્યો છે. 

અગાઉ આ પ્રતિબંધ 21 ઓગસ્ટના રોજ સમાપ્ત થવાનો હતો, પરંતુ હવે તે આવતા મહિને 21 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે.

કોરોના મહામારીની બીજી લહેર અને કોરોનાવાયરસના ડેલ્ટા વેરિઅન્ટના વધતા સંક્ર્મણને લઈને આ પાંચમી વખત પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે કેનેડામાં 22 એપ્રિલના રોજ પ્રથમ વખત પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો. 19 જુલાઈના રોજ કેનેડાની સરકારે 21 ઓગસ્ટ સુધી આ પ્રતિબંધ લંબાવ્યો હતો અને કહ્યું હતું કે પ્રતિબંધ જાહેર આરોગ્ય સલાહ પર લંબાવવામાં આવ્યો છે.

મુંબઈ અનલોક થતા જ જૂન મહિનામાં ફ્લાઇટ મૂવમેન્ટ આટલા ટકા વધી, હવાઈ યાત્રા મુસાફરી યાત્રિકોની સંખ્યામાં પણ થયો નોંધપાત્ર વધારો ; જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More