ચમત્કાર, પેસિફિક સમુદ્ર માંથી આપ મેળે બહાર આવ્યાં શિપ; જાણો તે પાછળનું કારણ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ઑક્ટોબર, 2021 
શુક્રવાર

આપણે કંઈક ને કંઈક એવું સાંભળ્યું જ હશે કે જે આશ્ચર્યજનક હોય.  આશ્ચર્ય પામનારી એક મોટી ઘટના જાપાનમાં બની છે. જ્યાં સમુદ્રના તળિયેથી શિપ બહાર આવ્યાં છે. તેને ત્યાં ઘોસ્ટ શિપ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તે બધા બીજા વિશ્વયુદ્ધમાં ડૂબી ગયા હતા.
જાપાનના પેસિફિક સમુદ્રમાં ફુકુટોકુ ઓકાનોબા નામનો જ્વાળામુખી ફાટ્યો છે. ભૂસ્તરશાસ્ત્રીય લાવા સાથે એક પછી એક 24 દરિયાઈ શિપ તળિયેથી બહાર  કિનારે આવી રહ્યા છે. આ ભૂસ્તરશાસ્ત્રીય ઘટના લો જીમા ટાપુ પર બની હતી. જે ટોક્યોથી 1200 કિલોમીટર દૂર છે.  જ્વાળામુખીના વિસ્ફોટને કારણે એક નાનો અર્ધચંદ્રાકાર આકારનો ટાપુ પણ સામે આવ્યો છે.

સારા સમાચાર : દસ્તાવેજોના વેરિફિકેશન માટે હવે રખડપટ્ટીથી મળશે છુટકારો, મુંબઈ યુનિવર્સિટીએ કર્યું પૉર્ટલ લૉન્ચ, દસ્તાવેજો થશે ઑનલાઇન ચેક; જાણો વિગત

વૈજ્ઞાનિકોના મતે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1945માં લો જીમા પણ સામેલ હતું. આમાં અમેરિકન દળોએ 36 દિવસ સુધી દુશ્મન દેશોના દરિયાઈ કાફલાને નિશાન બનાવ્યા હતા. આ યુદ્ધમાં 70 હજાર યુએસ મરીન્સે ભાગ લીધો હતો. તેનાથી બચવા માટે જાપાનના 20 હજાર સૈનિકોએ જ્વાળામુખીના પથ્થરોની વચ્ચે છુપાઈને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, આ યુદ્ધના અંત પછી 20 હજાર મરીન ઘાયલ થયા અને 7 હજાર ખલાસીઓ માર્યા ગયા. તે બીજા વિશ્વયુદ્ધની સૌથી લોહિયાળ લડાઈ માનવામાં આવે છે. આ યુદ્ધમાં 216  નૌસેનાનીઓની ધરપકડ કરવામાં આવી હતી, બાકીના બધા આ યુદ્ધમાં માર્યા ગયા હતા.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More