ભુતાન બાદ હવે નેપાળે પણ બાબા રામદેવની કંપની પતંજલિને ઝટકો આપ્યો છે.
નેપાળના આયુર્વેદ અને વૈકલ્પિક દવા વિભાગે કોરોનિલ કીટના વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે.
જોકે સ્વાસ્થ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે તેઓના તરફથી કોરોનિલ કિટના વેચાણ અને વિતરણ પર ત્યાં સુધી રોક લગાવવામાં આવી છે જ્યાં સુધી તે નેપાળ સરકારના નિયમો મુજબ વિભાગમાં રજિસ્ટર્ડ થઈ જતી નથી
ઉલ્લેખનીય છે કે પતંજલિ યોગપીઠ નેપાળે ભારત પાસેથી લગભગ 100 કાર્ટન કોરોનિલ કિટ મંગાવીને કોરોનાથી ઝઝૂમી રહેલાં નેપાળને મદદ પહોંચાડવા માટે સરકારને ઉપહાર તરીકે આ કોરોનિલ કિટ આપી હતી.
