સતત ભારત વિરોધી બયાન આપનાર પીએમ ઓલીના કાર્યકાળનો થશે અંત, નેપાળની સુપ્રીમ કોર્ટે આપ્યા આ આદેશ  ; જાણો હવે કોણ બનશે નવા વડાપ્રધાન  

by Dr. Mayur Parikh

નેપાળમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે નેપાળની સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે.

નેપાળની સુપ્રીમ કોર્ટે 2 દિવસનાં અંદર કોગ્રેસના અધ્યક્ષ શેર બહાદૂર દેઉબાને પ્રધાનમંત્રી બનાવવાનો આદેશ કર્યો છે. સાથે જ કોર્ટએ ભંગ પડેલી સાંસદને પુન: ચાલુ કરવાનો પણ આદેશ કર્યો છે. 

સુપ્રીમ કોર્ટે આ આદેશ રાષ્ટ્રપતિના નિર્ણય સામે દાખલ કરેલી અરજીની સુનાવણી દરમિયાન આપ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ પ્રધાનમંત્રી ઓલીની ભલામણ પર 275 સભ્યોવાળા નિચલા ગૃહને 22 મેએ પાંચ મહિનામાં બીજીવાર ભંગ કરી દીધું હતું અને 12 તથા 19 નવેમ્બરે મધ્યાવર્તી ચૂંટણીની જાહેરાત કરી હતી.

રાજ્યના સહકારી ક્ષેત્રને લઈ શરદ પવારે આપ્યું નિવેદન; કહ્યું કેન્દ્ર આમાં દખલગીરી કરી શકે નહીં, જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More