નેપાળમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે નેપાળની સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે.
નેપાળની સુપ્રીમ કોર્ટે 2 દિવસનાં અંદર કોગ્રેસના અધ્યક્ષ શેર બહાદૂર દેઉબાને પ્રધાનમંત્રી બનાવવાનો આદેશ કર્યો છે. સાથે જ કોર્ટએ ભંગ પડેલી સાંસદને પુન: ચાલુ કરવાનો પણ આદેશ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે આ આદેશ રાષ્ટ્રપતિના નિર્ણય સામે દાખલ કરેલી અરજીની સુનાવણી દરમિયાન આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ પ્રધાનમંત્રી ઓલીની ભલામણ પર 275 સભ્યોવાળા નિચલા ગૃહને 22 મેએ પાંચ મહિનામાં બીજીવાર ભંગ કરી દીધું હતું અને 12 તથા 19 નવેમ્બરે મધ્યાવર્તી ચૂંટણીની જાહેરાત કરી હતી.
