Site icon

પાકિસ્તાનના આ પ્રધાનનું ઉંઘમાં નિવેદન, યુક્રેનને કહ્યું- તમારી સેનાને પાછી વાળો, મંત્રણાથી યુદ્ધ ખતમ થશે.. જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 01, માર્ચ 2022,          

Join Our WhatsApp Community

મંગળવાર,

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. યુક્રેને વારંવાર વાતચીતનો માર્ગ માંગ્યો પરંતુ રશિયા રાજી ન થયું અને ગુરુવારે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આદેશ પર યુક્રેન પર હુમલો કરવાનું શરૂ કર્યું. આ યુદ્ધનો આજે છઠો દિવસ છે અને રશિયન સેના યુક્રેનને ચારે બાજુથી નિશાન બનાવીને રાજધાની કિવ પર કબજાે કરવાનો પ્રયાસ કરી રહી છે. આમ છતાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ એક અજીબ વાત કહી છે. રશિયાને બદલે તેણે યુક્રેનને સેના પાછી ખેંચી લેવા કહ્યું છે.

અહીં ઉલ્લેખનીય છે કે હુમલા પહેલા છેલ્લા ઘણા મહિનાઓથી રશિયન સેના યુક્રેનની સરહદ પર તૈનાત હતી, જેના કારણે યુદ્ધની સંભાવના હતી. યુક્રેન અને પશ્ચિમી દેશોની વારંવાર વિનંતીઓ છતાં તેને દૂર કરવામાં આવ્યો ન હતો. પરંતુ પાકિસ્તાની મંત્રીના નિવેદન પરથી એવું લાગી રહ્યું છે કે તેમને કંઈ જ ખબર નથી. કુરેશીએ યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રી કુલેબા સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન, તેમણે તેમની વાતચીતમાં ‘ડી-એસ્કેલેશન’ (સૈનિકોને પાછા ખેંચવાની પ્રક્રિયા) ના મહત્વને રેખાંકિત કર્યું.તે કદાચ ભૂલી ગયા હતા કે તેણે આ વાત રશિયાને કહેવાની હતી, કારણ કે હુમલો યુક્રેન પર થયો છે. યુક્રેન પર હુમલો થયો તે સમયે ઈમરાન રશિયામાં હતા. 

રશિયન સેનાએ ખાર્કિવના સરકારી બિલ્ડિંગ પર કર્યો મિસાઇલ હુમલો, ચાર રસ્તે ઊભેલી કારો હવામાં ફંગોળાઈ; જુઓ વિડિયો 

મીડિયાના અહેવાલો અનુસાર, યુક્રેનના કુલેબા સાથે પાકિસ્તાની મંત્રીની ટેલિફોનિક વાતચીત અંગે, વિદેશ કાર્યાલયના પ્રવક્તાએ કહ્યું, “વિદેશ મંત્રી કુરેશીએ પાકિસ્તાનના વિચારો શેર કર્યા છે. તેમણે ડિ-એસ્કેલેશનના મહત્વ પર ભાર મૂક્યો હતો અને પરિસ્થિતિ પર ગંભીર ચિંતાનો પુનરોચ્ચાર કરતી વખતે કૂટનીતિની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. પ્રવક્તા અનુસાર, વિદેશ પ્રધાન કુરેશીએ તેમના યુક્રેનિયન સમકક્ષને જાણ કરી હતી કે વડાપ્રધાન ઇમરાન ખાને તાજેતરમાં મોસ્કોની મુલાકાત લીધી હતી. 
 

કુરેશીને ટાંકીને, પ્રવક્તાએ કહ્યું કે પાકિસ્તાની વડા પ્રધાને “આશા રાખી હતી કે રાજદ્વારી દ્વારા લશ્કરી સંઘર્ષ ટાળી શકાય છે.” પ્રવક્તાએ કહ્યું કે ઈસ્લામાબાદ માને છે કે વિવાદો વાતચીત અને રાજદ્વારી દ્વારા ઉકેલવા જાેઈએ. પાકિસ્તાની મંત્રીએ યુક્રેનમાં પાકિસ્તાની સમુદાય અને વિદ્યાર્થીઓને બહાર કાઢવા અને તેમના ઘરે પરત ફરવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

Ali Larijani Killed Israel Attack: ઈઝરાયેલી હુમલામાં અલી લારીજાની અને તેમના પુત્રનું મોત, ઈરાને ૧૦૦ મિસાઈલો છોડી લીધો બદલો; મધ્ય પૂર્વમાં સ્થિતિ બેકાબૂ
Saudi Oil Supply to India: ભારત માટે આ દેશ બન્યો ‘સંકટ સમયનો સાથી’: હોર્મુઝની ખાડીમાં યુદ્ધ છતાં ૬૦ લાખ બેરલ તેલનો જથ્થો મોકલ્યો, દેશમાં નહીં સર્જાય ઇંધણની અછત
Global Eyes on PM Modi: ઈરાન-ઈઝરાયેલ જંગમાં પીએમ મોદી ‘ગેમ ચેન્જર’! ભારતની મધ્યસ્થી પર ટકી દુનિયાની નજર, જાણો કેવી રીતે ટળશે આફત
“No Nukes for Madmen”:પરમાણુ હથિયાર પર ટ્રમ્પનું મોટું નિવેદન: ઈરાન પર હુમલા વધુ તેજ કરવાની આપી ચેતવણી, જંગ રોકવા માટે સમયમર્યાદા નક્કી કરી
Exit mobile version