Site icon

પાકિસ્તાનની વિચિત્ર સમસ્યા, એક વર્ષમાં એક લાખ ગધેડા વધ્યા; જાણો પાકિસ્તાન કઈ રીતે વિસામણમાં મુકાયું

ahmednagar pathardi kanifnath madhi yatra donkey market

હેં, શું વાત કરો છો? મહારાષ્ટ્રમાં 'અહીં' લાખો રૂપિયામાં વેચાય છે ગધેડો, જાણો શું છે કારણ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

પાકિસ્તાનમાં ઇમરાન ખાનનાં છેલ્લાં ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન ગધેડાની સંખ્યામાં દર વર્ષે એક લાખનો વધારો નોંધાયો છે. મોટી વાત એ છે કે આ સમયગાળા દરમિયાન પાકિસ્તાનમાં અન્ય પ્રાણીઓનો વિકાસદર લગભગ સ્થિર રહ્યો છે. આ ત્રણ લાખ નવા ગધેડાઓના ઉમેરા સાથે પાકિસ્તાનમાં ગધેડાઓની કુલ વસ્તી 56 લાખને પાર પહોંચી ગઈ છે. આ સાથેગધેડાની વસ્તીની દ્દૃષ્ટિએ પાકિસ્તાન વિશ્વના ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.

આર્થિક સર્વે 2020-21 મુજબ ગધેડા પાકિસ્તાનમાં એકમાત્ર પ્રાણી છે, જેની વસ્તી 2001-2002થી દર વર્ષે 1,00,000ના દરે વધી રહી છે. ઊંટ, ઘોડા અને ખચ્ચર સહિતનાં અન્ય પ્રાણીઓની વસ્તી 13 વર્ષથી સ્થિર છે. અગાઉ PML અને PPP સરકારનાં પાંચ વર્ષ દરમિયાન ગધેડાની વસ્તીમાં ચાર લાખનો વધારો થયો હતો. પાકિસ્તાન ગધેડા વેચીને પણ ઘણો નફો મેળવે છે. એટલું જ નહીં, ગધેડાઓની સારવાર માટે પાકિસ્તાનમાં પણ અલગ હૉસ્પિટલો બનાવવામાં આવી છે.

મુંબઈ રેલવે પ્રશાસનનો ગજબ કારભાર; પ્રવાસીઓની સંખ્યા ઘટી એટલે તમામ રેલવે સ્ટેશને પંખા બંધ કરી દીધા, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે ચીન સાથેના કરાર મુજબ પાકિસ્તાન દર વર્ષે 80,000 ગધેડાઓ ચીનને મોકલે છે. જેનો ઉપયોગ માંસ અને બીજી ઘણી વસ્તુઓ માટે થાય છે. ગધેડાની ત્વચાનો ઉપયોગ ચીનમાં અનેક રીતે થાય છે. ત્વચામાંથી કાઢવામાં આવેલા જિલેટીનમાંથી પણ ઘણા પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે. ચીનની ઘણી કંપનીઓએ પાકિસ્તાનમાં ગધેડા-વ્યવસાયમાં અબજો ડૉલરનું રોકાણ કર્યું છે. ગધેડાના ભાવ પાકિસ્તાનમાં જાતિના આધારે નક્કી કરવામાં આવે છે.

Iran Nuclear Radiation Alert: ઈરાન પર પરમાણુ વાદળો ઘેરાયા! IAEA અને તેહરાન વચ્ચે સંપર્ક તૂટતા ખળભળાટ; રેડિયેશનના લીધે લાખો લોકો પર મોટું જોખમ’.
Global Conflict Escalates: હવે બચવું મુશ્કેલ! અમેરિકા અને બ્રિટન સહિતની પંચશક્તિનો ઈરાન પર કહેર; મિસાઈલ અડ્ડાઓ પર ગમે ત્યારે થઈ શકે છે મોટો હુમલો.
US F-15 Crash Kuwait 2026: અકસ્માત કે હુમલો? કુવૈતમાં અમેરિકાનું F-15 વિમાન આગના ગોળામાં ફેરવાયું; ઈરાનના દાવાથી પેન્ટાગોનમાં મચી હલચલ.
PM Modi Call to Netanyahu: શું ભારત રોકશે ઈઝરાયેલ-ઈરાન મહાયુદ્ધ? પીએમ મોદી અને નેતન્યાહુ વચ્ચે મહત્વની ચર્ચા; ખાડી દેશોમાં શાંતિ માટે ભારતનો માસ્ટરપ્લાન..
Exit mobile version