Site icon

India-China relations: પાકિસ્તાન ને સૌથી મોટો ફટકો! ચીને ‘આ’ મુદ્દા પર ભારતને આપ્યો ટેકો

India-China relations: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંઘાય સહકાર સંગઠન (SCO) ની શિખર પરિષદ માટે ચીન ગયા છે. આ દરમિયાન તેમણે ચીનના અધ્યક્ષ શી જિનપિંગ સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરી, જેમાં આતંકવાદ વિરોધી લડાઈમાં ચીને ભારતને ટેકો આપવાનું આશ્વાસન આપ્યું છે

India-China relations પાકિસ્તાન ને સૌથી મોટો ફટકો! ચીને 'આ' મુદ્દા પર ભારતને આપ્યો ટેકો

India-China relations પાકિસ્તાન ને સૌથી મોટો ફટકો! ચીને 'આ' મુદ્દા પર ભારતને આપ્યો ટેકો

News Continuous Bureau | Mumbai
India-China relations ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં શાંઘાય સહકાર સંગઠન (SCO) ની શિખર પરિષદ માટે ચીન ગયા છે. આ પરિષદ દરમિયાન વડાપ્રધાન મોદી અને ચીનના અધ્યક્ષ શી જિનપિંગ વચ્ચે એક મહત્વની બેઠક થઈ. આ બેઠકમાં મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ. આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનમાં થી ફેલાતા આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો, અને કહ્યું કે આ ભારત સહિત ચીન માટે પણ મોટો ખતરો છે. પરિણામે, હવે ચીને આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ભારતને ટેકો આપ્યો છે, જે પાકિસ્તાન માટે એક મોટો ફટકો છે.

ચીને ભારતને ટેકો આપ્યો: આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં મળ્યો સહકાર

ભારત ઘણાં વર્ષોથી આતંકવાદનો સામનો કરી રહ્યું છે. ભારતના શત્રુ દેશ પાકિસ્તાન આતંકવાદીઓને પ્રોત્સાહન આપી રહ્યું છે, અને આ જ આતંકવાદીઓ ભારત વિરુદ્ધ હુમલાઓ કરી રહ્યા છે. તેથી જ શી જિનપિંગ સાથેની બેઠકમાં મોદીએ સરહદ પારથી થતા આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો, અને કહ્યું કે આ ચીન માટે પણ જોખમી છે. તેથી હવે ચીને આ બાબતે ભારતને ટેકો આપ્યો છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ પણ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની આતંકવાદીઓ સામે લડવા માટે ભારતને ચીનનો સહકાર મળ્યો છે.

Join Our WhatsApp Community

સરહદ વિવાદ પર પણ ચર્ચા

આ બેઠકમાં ચીન સાથેના સરહદ વિવાદ પર પણ ચર્ચા થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના અધ્યક્ષ શી જિનપિંગને કહ્યું કે સરહદ પર શાંતિ જાળવવી એ ભારત-ચીન સંબંધો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં પૂર્વ લદ્દાખમાં બંને દેશોના સૈનિકો વચ્ચે તણાવ ઊભો થયો હતો, પરંતુ હવે આ મુદ્દાનો કાયમી ઉકેલ આવવાની શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો : Manoj Jarange Patil: મનોજ જરાંગે પાટીલ ના આંદોલન ને ધ્યાન માં રાખી મુંબઈ ટ્રાફિક પોલીસે એ લીધો મહત્વ નો નિર્ણય, દક્ષિણ મુંબઈ ના વાહનવ્યવહાર ના માર્ગોમાં કર્યા આ ફેરફાર

ભૂતકાળમાં ચીને પાકિસ્તાનને આપ્યો હતો ટેકો

આ પહેલા, પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું. તે સમયે ચીને ખુલ્લેઆમ પાકિસ્તાનને ટેકો આપ્યો હતો. ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં 9 સ્થળોએ હવાઈ હુમલા કરીને 100થી વધુ આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો હતો. તે સમયે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો અને પાકિસ્તાને ચીની ફાઇટર પ્લેન અને તુર્કીના ડ્રોનનો પણ ઉપયોગ કર્યો હતો. પરંતુ હવે આતંકવાદના મુદ્દા પર ચીને ભારતને ટેકો આપ્યો છે, જે એક મોટો રાજકીય ફેરફાર માનવામાં આવે છે.

Gaza War: UN ની નવી ચેતવણી: ગાઝામાં ઈઝરાયેલે 13 પરમાણુ બોમ્બ જેટલો વિનાશ વેર્યો, કાટમાળ હટાવવામાં જ લાગશે અધધ આટલા વર્ષ
Afghanistan-Pakistan: પાક.ના દિગ્ગજ નેતાઓને કાબુલનો કડક જવાબ: સંરક્ષણ મંત્રી અને ISI ચીફને વિઝા નહીં! અફઘાનિસ્તાન-પાક. સંબંધોમાં તિરાડ
Madagascar: નેપાળ બાદ આ દેશમાં Gen-Z યુવાનો રસ્તા પર, ઉગ્ર પ્રદર્શનો અને સત્તાપલટાના ડરથી રાષ્ટ્રપતિ દેશ છોડી ભાગ્યા
Donald Trump: પાકિસ્તાન ના વડાપ્રધાન શરીફની હાજરીમાં ટ્રમ્પે કર્યા પીએમ મોદીના ભરપૂર વખાણ, વિડીયો થયો વાયરલ!
Exit mobile version