BBC Ram Mandir Coverage: અયોધ્યાના રામ મંદિર પર એક તરફી બીબીસી કવરેજ પર ગુસ્સે થયા આ બ્રિટીશ સાંસદ, સંસદમાં ચર્ચાની કરી માંગ…

BBC Ram Mandir Coverage: કન્ઝર્વેટિવ સાંસદે બીબીસીની નિષ્પક્ષતા અને વિશ્વભરમાં શું ચાલી રહ્યું છે તેનો યોગ્ય રેકોર્ડ પ્રદાન કરવામાં તેની નિષ્ફળતા પર ગૃહમાં ચર્ચાની હાકલ કરી છે.

by Bipin Mewada
Angered by a pro-BBC coverage of Ayodhya's Ram mandir, this British MP demanded a debate in Parliament.

News Continuous Bureau | Mumbai 

BBC Ram Mandir Coverage: બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને ( Bob Blackman ) આ અઠવાડિયે યુકેની સંસદમાં કહ્યું હતું કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર અભિષેક સમારોહનું બીબીસીનું કવરેજ ( BBC coverage ) પક્ષપાતથી ભરેલું હતું. તેમણે સંસદમાં ( UK Parliament) આ સમગ્ર મુદ્દા પર ચર્ચાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે BBC બ્રિટનની જાહેર મીડિયા સંસ્થા છે. સાંસદ બોબ બ્લેકમેને કહ્યું કે ગત અઠવાડિયે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ ઉજવામાં આવ્યો હતો. બ્લેકમેને સંસદ સત્ર દરમિયાન કહ્યું કે ભગવાન રામનું જન્મસ્થળ હોવું વિશ્વભરના હિંદુઓ માટે ખૂબ જ આનંદની વાત છે. 

બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને કહ્યું કે, પરંતુ અફસોસની વાત એ છે કે BBCએ તેના કવરેજમાં ઉલ્લેખ કર્યો છે કે આ તે જ જગ્યા છે જ્યાં એક મસ્જિદ ( Masjid ) તોડી પાડવામાં આવી હતી. જ્યારે હકીકત એ ભૂલી જવામાં આવી હતી કે આ બન્યું તે પહેલાં તે 2,000 વર્ષથી વધુ સમય માટે મંદિર હતું. હેરો ઈસ્ટના કન્ઝર્વેટિવ સાંસદ બ્લેકમેને જણાવ્યું હતું કે ‘શહેરની નજીક મસ્જિદ બનાવવા માટે મુસ્લિમોને પાંચ એકર જમીન આપવામાં આવી છે.’ આ પછી, બ્રિટિશ સાંસદે BBCની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા છે અને સંસદમાં આ મુદ્દે ચર્ચાની માંગ કરી છે.

  BBCએ તમામ ઘટનાઓનું યોગ્ય કવરેજ કરવું જોઈએઃ બોબ બ્લેકમેન..

બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને પણ બીબીસીના કવરેજ પર પોતાની ફરિયાદો વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયા સાઇટ Xની મદદ લીધી. બોબ બ્લેકમેને સોશિયલ મીડિયા પર પણ BBC કવરેજ મામલે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું- મતદારોએ રામ મંદિર વિશે BBCના રિપોર્ટિંગ પર ચિંતા વ્યક્ત કરી છે. હું હિન્દુઓના અધિકારોનો સમર્થક છું અને આટલા મોટા મીડિયા હાઉસ દ્વારા આ પ્રકારનું કવરેજ ચિંતિત કરે છે. બીબીસીએ દુનિયામાં શું થઈ રહ્યું છે તેની સાચી માહિતી આપવી જોઈએ.

આ સમાચાર પણ વાંચો : Adani Group: ઉદ્યોગપતિ ગૌતમ અદાણી રચશે ઇતિહાસ! ગુજરાતમાં સ્થાપશે વિશ્વનો સૌથી મોટો કોપર પ્લાન્ટ; આ મહિનાના અંતથી શરુ થશે કામગીરીઃ અહેવાલ

તેમણે કહ્યું, “બીબીસી વિશ્વભરમાં શું થઈ રહ્યું છે તેનો યોગ્ય રેકોર્ડ પ્રદાન કરવામાં સક્ષમ હોવું જોઈએ.”

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં વિશાળ રામ મંદિરનો ભવ્ય અભિષેક 22 જાન્યુઆરીએ થયો હતો. જેમાં વિદેશી પ્રતિનિધિઓ સહિત હજારો લોકો હાજર રહ્યા હતા.તેમ જ ઘણા રાજ્યોએ રામ મંદિરના અભિષેકના દિવસે શાળામાં રજા જાહેર કરી હતી અને કેન્દ્ર અને રાજ્ય સરકારની કચેરીઓ તેમજ અન્ય સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રની બેંકો અડધા દિવસ માટે બંધ રહી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More