Bangladesh Fire: ઢાકામાં આગનો તાંડવ, રેસ્ટોરન્ટમાં આગને કારણે અત્યાર સુધીમાં 43ના મોત; લોકો પોતાનો જીવ બચાવવા ઇમારત પરથી કૂદી પડ્યા.

Bangladesh Fire: ઢાંકામાં એક મોલની અંદર ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભીષણ હતી કે તે ઘણા રેસ્ટોરા અને દુકાનનો તેની લપેટામાં લઈ લીધી હતા. કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે.

by Bipin Mewada
Bangladesh Fire Fire rages in Dhaka, 43 dead so far due to restaurant fire; People jumped from the building to save their lives..

News Continuous Bureau | Mumbai 

Bangladesh Fire: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ( Dhaka ) ગુરુવારે (29 ફેબ્રુઆરી) રાત્રે આગનો તાંડવ જોવા મળ્યો હતો. રાજધાનીમાં છ માળના શોપિંગ મોલમાં ( shopping mall ) લાગેલી આગમાં ઓછામાં ઓછા 43 લોકોના મોત થયા છે અને ડઝનેક લોકો ઘાયલ થયા છે. સ્વાસ્થ્ય મંત્રી સામંતા લાલ સેને મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગુરુવારે રાત્રે ઢાકાના ડાઉનટાઉન વિસ્તારમાં ભીષણ આગ ( fire ) ફાટી નીકળી હતી. જેમાં ફાયર ફાઈટરોએ બચી ગયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં 43 લોકોના મોત થયા છે, જ્યારે 22 લોકોની હાલ સારવાર ચાલી રહી છે. 

સ્વાસ્થ્ય મંત્રીએ નિવેદન આપતા વધુમાં કહ્યું હતું કે, ફાયર વિભાગે મોલની અંદરથી બચાવ કામગીરી કરતા બળેલા મૃતદેહોને બહાર કાઢ્યા છે. મંત્રી સામંત લાલ સેને આગળ કહ્યું હતું કે, ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ( Dhaka Medical College Hospital ) મહિલાઓ અને બાળકો સહિત 33 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે 10ને શેખ હસીના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરીમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમની સારવાર કરી હતી. આગની આ ઘટના બેઈલી રોડ વિસ્તારના શોપિંગ મોલમાં બની છે, જ્યાં ઘણી રેસ્ટોરાં છે.

 આગ શોપિંગ મોલના પહેલા માળે સ્થિત એક પ્રખ્યાત રેસ્ટોરન્ટમાંથી શરૂ થઈ હતી…

આ અંગે મિડીયા સાથે વાત કરતા ફાયર વિભાગે જણાવ્યું હતું કે, આગ શોપિંગ મોલના પહેલા માળે સ્થિત એક પ્રખ્યાત રેસ્ટોરન્ટમાંથી શરૂ થઈ હતી. આ પછી થોડી જ વારમાં આગે આખી બિલ્ડીંગને લપેટમાં લઈ લીધી. ઘણી રેસ્ટોરન્ટમાં ગેસ સિલિન્ડર હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી. આગના કારણે અનેક લોકો ઈમારતની અંદર ફસાઈ ગયા હતા. આગ લાગવાનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શોપિંગ મોલમાં આગનું કારણ જાણવા ફાયર વિભાગે એક ટીમ બનાવી છે.

આ સમાચાર પણ વાંચો :  UAE Hindu Temple: અબુધાબીમાં આજથી સૌથી મોટું હિન્દુ મંદિર દ્વાર ભક્તો માટે ખુલ્યાં, ભવ્યતા જોઈને દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ

સમાચાર એજન્સી એપીના જણાવ્યા અનુસાર, આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની ડઝનબંધ ટીમો તૈનાત કરવામાં આવી હતી. કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, શોપિંગ મોલની અંદરથી ઓછામાં ઓછા 75 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમાંથી 42 લોકોને બેભાન હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. તેમાંથી મોટાભાગના લોકો મોલમાં ધુમાડો વધવાને કારણે બેભાન થઈ ગયા હતા.

દરમિયાન, ઢાકા ટ્રિબ્યુન અનુસાર, કચ્છી ભાઈ નામની રેસ્ટોરન્ટમાં રાત્રે 9.45 કલાકે આગ લાગી હતી. જેમાં ભારે જહેમત બાદ 12.30 વાગ્યે આગ બુઝાવી દેવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન ડઝનેક લોકોના મોત થયા હતા. કેટલાક લોકોએ આગને કારણે અથવા ગૂંગળામણને કારણે બિલ્ડિંગ પરથી કૂદવાનું યોગ્ય માન્યું હતું, પરંતુ તેઓ પણ નીચે પડી જતાં મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં લોકો રડતા જોઈ શકાય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More