Site icon News Continuous Bureau | Mumbai

Bangladesh: ભારતને બાંગ્લાદેશનો મોટો પત્ર: પૂર્વ વડાપ્રધાન ‘શેખ હસીના’ને અમને સોંપો! કૂટનીતિમાં મોટો વળાંક

Bangladesh: બાંગ્લાદેશની ન્યાયિક ટ્રિબ્યુનલે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા સંભળાવ્યા બાદ વચગાળાની સરકારે તેમને સોંપવા માટે નવી દિલ્હીને 'સત્તાવાર પત્ર' મોકલ્યો.

Bangladesh Makes Big Demand to India, Sends Letter Saying - Hand Over Former Prime Minister Sheikh Hasina to Us

Bangladesh Makes Big Demand to India, Sends Letter Saying - Hand Over Former Prime Minister Sheikh Hasina to Us

News Continuous Bureau | Mumbai
Bangladesh: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સાથે જોડાયેલા મોટા સમાચાર છે. બાંગ્લાદેશે ભારત પાસેથી માંગ કરી છે કે શેખ હસીનાને તેમને સોંપવામાં આવે. ઉલ્લેખનીય છે કે શેખ હસીનાને કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. આવી સ્થિતિમાં, ભારતે બાંગ્લાદેશને શું જવાબ આપે છે તે જોવું રહ્યું.

શું છે સમગ્ર મામલો?

બાંગ્લાદેશના ન્યાયિક ટ્રિબ્યુનલ દ્વારા સજા સંભળાવવામાં આવ્યા પછી, બાંગ્લાદેશે ફરી એકવાર ભારત સમક્ષ શેખ હસીનાને બાંગ્લાદેશને સોંપવાની માંગ કરી છે. આ માટે, બાંગ્લાદેશમાં મુહમ્મદ યુનુસની વચગાળાની સરકારે નવી દિલ્હીને એક ‘સત્તાવાર પત્ર’ મોકલ્યો છે, જેમાં દેશના આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલ દ્વારા સજા સંભળાવવાનો ઉલ્લેખ છે. આ પત્રને જાહેર કરવામાં આવ્યો નથી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : The Family Man 4: ‘ધ ફેમિલી મેન ૪’ કન્ફર્મ! શ્રીકાંત તિવારી ઉર્ફે મનોજ બાજપેયીનો ધમાકેદાર ખુલાસો, ચાહકોમાં ઉત્તેજના

હસીનાને ફાંસી આપવાની માંગ સાથે રસ્તા પર ઊતર્યા લોકો

તાજેતર માં સમાચાર આવ્યા હતા કે બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીના પર અદાલતનો નિર્ણય આવ્યા પછી સેંકડો પ્રદર્શનકારીઓ હસીના વિરુદ્ધ રસ્તા પર ઊતરી આવ્યા છે અને તેમને ફાંસી આપવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન ઢાકા ઉપરાંત અન્ય સ્થળોએ પણ પ્રદર્શનો થયા હતા.ઉલ્લેખનીય છે કે હસીનાને 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન કથિત હત્યાકાંડ માટે ગત 17 નવેમ્બરના રોજ મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલે હસીના અને પૂર્વ ગૃહ મંત્રી અસદુજ્જમાન ખાન કમાલને માનવતા વિરુદ્ધના અપરાધો માટે આ સજા સંભળાવી હતી.

ભારતમાંથી પ્રત્યાર્પણની માંગ તેજ

હસીના વિરુદ્ધ થઈ રહેલા પ્રદર્શન દરમિયાન લોકોએ ‘હસીનાને ફાંસી આપો’, ‘ભારતમાંથી પ્રત્યાર્પણ કરો’ અને ‘ન્યાય સુનિશ્ચિત કરો’ જેવા નારા લગાવ્યા હતા. આ પછી બાંગ્લાદેશમાં હસીનાના ભારતમાંથી પ્રત્યાર્પણની માંગ તેજ થઈ ગઈ છે. બાંગ્લાદેશમાં વિરોધી રાજકીય પક્ષો દ્વારા આ માંગ એટલા માટે પણ જોર પકડી રહી છે કારણ કે 2026માં બાંગ્લાદેશમાં ચૂંટણી યોજાવાની છે. વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસે ફેબ્રુઆરી 2026માં ચૂંટણી કરાવવાનું વચન આપ્યું છે.

Nepal Floods ભયાનક તારાજી નેપાળમાં પૂરથી મરણાંક વધીને ૩૩૨ પર પહોંચ્યો, ૨૮૮ ભારતીયો સંપર્ક વિહોણા
Maharashtra Auto Taxi Marathi Deadline Extension મરાઠી ન આવડતી હોય તો ટેન્શન નહીં! મહારાષ્ટ્રમાં ડ્રાઇવરોને ૧ વર્ષની ડેડલાઇન, ગોઠવ્યા ખાસ વર્ગો
Delimitation 543 Seats Freeze સંસદમાં ફરી રાજકીય ગરમાવો ખડગેએ PM મોદીને પત્ર લખીને કરી લોકસભાની ૫૪૩ બેઠકો ૨૫ વર્ષ સુધી યથાવત રાખવાની માંગ
Nepal Heavy Devastation ચીનની મોટી ચેતવણીથી હડકંપ નેપાળમાં વિનાશક પૂર વચ્ચે આગામી ૩ દિવસ અત્યંત જોખમી
Exit mobile version