Bangladesh Political Crisis : બાંગ્લાદેશમાં ફરી રાજકીય સંકટ… મુહમ્મદ યુનુસ આપશે રાજીનામુ, તો શું શેખ હસીના પાછા ફરશે? ચર્ચાઓ તેજ…

Bangladesh Political Crisis : બાંગ્લાદેશ ફરી એકવાર મોટા રાજકીય સંકટ તરફ આગળ વધી રહ્યું છે. ગયા અઠવાડિયાની ઘટનાઓએ આ ભયમાં વધારો કર્યો છે. બાંગ્લાદેશના લશ્કરી અધિકારીઓ સાથે તાજેતરમાં બંધ બારણે મળેલી બેઠક (દરબાર) દરમિયાન આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાનની ટિપ્પણીઓએ અટકળોને વેગ આપ્યો છે. મ્યાનમારમાં ચૂંટણી અને કોરિડોર અંગે બેઠકમાં આર્મી ચીફની કઠોર ટિપ્પણીઓએ યુનુસ પર દબાણ લાવ્યું છે. દરમિયાન, મુહમ્મદ યુનુસે રાજીનામું આપવાની ઓફર કરી હોવાના અહેવાલો સાથે અસ્થિરતાની લાગણી વધુ ઘેરી બની છે.

by kalpana Verat

 News Continuous Bureau | Mumbai  

Bangladesh Political Crisis : બાંગ્લાદેશ ફરી એકવાર નેતૃત્વ સંકટનો સામનો કરી રહ્યું છે. ઢાકાનું રાજકારણ એક સંવેદનશીલ વળાંક પર પહોંચી ગયું છે. દેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર અને નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. મુહમ્મદ યુનુસ હવે વધતા દબાણ હેઠળ છે. આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાનની કડક ચેતવણી પછી, યુનુસ રાજીનામું આપવાનું વિચારી રહ્યા છે અને પ્લાન બીની તૈયારીમાં વ્યસ્ત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુનુસ હવે સત્તામાં રહેવા માટે રસ્તાઓ પર પોતાની તાકાત બતાવવા જઈ રહ્યા છે. તે જ સમયે, રાજકીય ગલિયારાઓ અને લશ્કરી વર્તુળોમાં તેમના ઇરાદાઓ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે.

 Bangladesh Political Crisis : યુનુસે રાજીનામું આપવાની ધમકી આપી

બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના વડા અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા પ્રોફેસર મુહમ્મદ યુનુસે રાજીનામું આપવાની ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે જો રાજકીય પક્ષો વચ્ચે ચૂંટણી સુધારા પર સર્વસંમતિ નહીં બને તો તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે બાંગ્લાદેશ રાજકીય અસ્થિરતા, આર્થિક અસમાનતા અને સામાજિક ઉથલપાથલમાંથી પસાર થઈ રહ્યું છે. આ સાથે, શેખ હસીનાના પાછા ફરવાની અટકળો પણ તેજ થઈ ગઈ છે.

 નોંધનીય છે કે ઓગસ્ટ 2024 માં, વિદ્યાર્થીઓના આંદોલનો બાદ શેખ હસીનાની 15 વર્ષ જૂની સરકારે સત્તા છોડવી પડી હતી. આ વિરોધ સરકારી નોકરીઓમાં અનામત પ્રણાલી સામે વિદ્યાર્થીઓનું આંદોલન હતું, જે પાછળથી હિંસક અથડામણમાં ફેરવાઈ ગયું. આ આંદોલન દરમિયાન 32 થી વધુ લોકોનાં મોત થયાં અને વડા પ્રધાન શેખ હસીનાને ભારતમાં આશ્રય લેવો પડ્યો. આ પછી, સેનાએ એક વચગાળાની સરકારની રચના કરી અને યુનુસને મુખ્ય સલાહકાર (વડાપ્રધાન સમકક્ષ) તરીકે નિયુક્ત કર્યા.

આ સમાચાર પણ વાંચો : Gaganyaan ISRO:ISROએ 2025ને ‘ગગનયાન વર્ષ’ તરીકે જાહેર કર્યું, ‘વ્યોમિત્ર’ રોબોટ સાથેનું પહેલું મિશન આ તારીખે થશે લોન્ચ…

Bangladesh Political Crisis : હવે યુનુસની સરકાર પણ મુશ્કેલીમાં  

હવે, લગભગ એક વર્ષ પછી, યુનુસની સરકાર પણ અસહકાર, દબાણ અને વિરોધનો સામનો કરી રહી છે. નેશનલ સિટીઝન પાર્ટી (NCP) ના નેતા નાહિદ ઇસ્લામે જણાવ્યું કે સર નારાજ અને નિરાશ દેખાતા હતા. તેમણે કહ્યું કે જો તેમને રાજકીય સમર્થન નહીં મળે તો તેઓ કામ કરી શકશે નહી,. ઇસ્લામે એમ પણ કહ્યું, લોકોએ માત્ર સરકાર બદલવા માટે નહીં પરંતુ વ્યવસ્થા બદલવા માટે વિરોધ કર્યો હતો. સુધારા વિના ચૂંટણી યોજવાનો કોઈ અર્થ નથી.

Bangladesh Political Crisis : શું બાંગ્લાદેશ ફરીથી સંકટ તરફ આગળ વધી રહ્યું છે?

યુનુસની સરકારે હજુ સુધી ચૂંટણીની કોઈ તારીખ નક્કી કરી નથી. BNP (બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી) એ તાજેતરમાં ઢાકામાં ચૂંટણીની તારીખો નક્કી કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. યુનુસે અત્યાર સુધીમાં મોટા સુધારાઓની જાહેરાત કરી છે પરંતુ રાજકીય સર્વસંમતિના અભાવે તેનો અમલ કરવામાં અસમર્થ રહ્યા છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More