Bangladesh unrest:  PM મોદી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ વચ્ચે ટેલિફોનિક  વાતચીત,  વડા પ્રધાને ઉઠાવ્યો આ મુદ્દો.. 

  Bangladesh unrest: બાંગ્લાદેશમાં બળવા બાદ વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે. પરંતુ પાડોશી દેશમાં લઘુમતીઓ અને ખાસ કરીને હિંદુઓની સુરક્ષાને લઈને હજુ પણ સવાલો ઉઠી રહ્યા છે. ભારતમાં પણ આ અંગે સતત ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને કેન્દ્ર સરકારે હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો ઘણી વખત ઉઠાવ્યો છે. દરમિયાન બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે વડાપ્રધાન મોદીને ફોન કરીને હિન્દુઓની સુરક્ષાની ખાતરી આપી હતી.

by kalpana Verat
Bangladesh unrest Muhammad Yunus assures PM Modi protection of Hindus and all minorities

News Continuous Bureau | Mumbai

Bangladesh unrest: બાંગ્લાદેશમાં બળવા બાદ વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે. પરંતુ પાડોશી દેશમાં લઘુમતીઓ અને ખાસ કરીને હિંદુઓની સુરક્ષાને લઈને હજુ પણ સવાલો ઉઠી રહ્યા છે. ભારતમાં પણ આ અંગે સતત ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને કેન્દ્ર સરકારે હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો ઘણી વખત ઉઠાવ્યો છે. દરમિયાન બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે વડાપ્રધાન મોદીને ફોન કરીને હિન્દુઓની સુરક્ષાની ખાતરી આપી હતી.

  Bangladesh unrest:  પીએમ મોદીએ   પ્રોફેસર મુહમ્મદ યુનુસ સાથે ફોન પર વાત કરી

 પીએમ મોદીએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આ માહિતી આપી છે. તેમણે કહ્યું પ્રોફેસર મુહમ્મદ યુનુસ સાથે ફોન પર વાત કરી. વર્તમાન પરિસ્થિતિ અંગે વિચારોની આપ-લે કરી. લોકતાંત્રિક, સ્થિર, શાંતિપૂર્ણ અને પ્રગતિશીલ બાંગ્લાદેશ માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. તેમણે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને તમામ લઘુમતીઓની સુરક્ષા, સંરક્ષણ અને સુરક્ષાની ખાતરી આપી હતી.

  Bangladesh unrest: વડાપ્રધાન મોદી હિન્દુઓ અને લઘુમતીઓની સુરક્ષાને લઈને ચિંતિત 

મહત્વનું છે કે ગઈકાલે સ્વતંત્રતા દિવસના અવસરે પોતાના ભાષણમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેઓ આશાવાદી છે કે હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાં સ્થિતિ જલ્દી સામાન્ય થઈ જશે. 140 કરોડ ભારતીયો પાડોશી દેશમાં હિન્દુઓ અને લઘુમતીઓની સુરક્ષાને લઈને ચિંતિત છે. તે જ સમયે, મોહમ્મદ યુનુસે રાજધાની ઢાકાના ઢાકેશ્વરી મંદિરની મુલાકાત લઈને બાંગ્લાદેશના હિન્દુઓનો સંપર્ક કર્યો હતો. તેમણે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની હકાલપટ્ટી બાદ તાજેતરમાં થયેલી હિંસા દરમિયાન લઘુમતીઓ પર હુમલો કરનારાઓને સજા કરવાનું વચન આપ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  70th National Film Awards: 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની થઇ જાહેરાત, આ ગુજરાતી ફિલ્મને મળ્યા એક નહીં પણ ત્રણ એવોર્ડ; જુઓ વિજેતાઓની સંપૂર્ણ સૂચિ..

  Bangladesh unrest: મોહમ્મદ યુનુસે 8 ઓગસ્ટે કમાન સંભાળી  

ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં સ્થિતિ બગડ્યા બાદ યુનુસે 8 ઓગસ્ટે વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા હતા. શેખ હસીનાના અચાનક રાજીનામું આપી ભારત આવ્યા બાદ તેમણે બાંગ્લાદેશની કમાન સંભાળી છે. નોકરીઓમાં વિવાદાસ્પદ ક્વોટા પ્રણાલીને લઈને સરકાર સામે ઘાતક વિરોધ પ્રદર્શન બાદ દેશમાં અશાંતિ ફેલાઈ હતી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More