ના હોય.. રાજા ચાર્લ્સની પત્ની રાણી કેમિલાએ કોહિનૂર હીરાનો તાજ પહેરવાની પાડી દીધી ના, જાણો શું છે કારણ ?

કોહિનૂર હીરા જડિત તાજ ગયા વર્ષે રાણી એલિઝાબેથ II ના અવસાન પછી રાજા ચાર્લ્સ III ની પત્ની ક્વીન કોન્સોર્ટ કેમિલાને સોંપવામાં આવ્યો હતો. પરંતુ, હવે કેમિલાએ આ વિવાદિત તાજ પહેરવાની ના પાડી દીધી છે. બકિંગહામ પેલેસે આ માહિતી આપી છે.

by Dr. Mayur Parikh
Camilla will not wear disputed Kohinoor for coronation

News Continuous Bureau | Mumbai

કોહિનૂર હીરા જડિત તાજ ગયા વર્ષે રાણી એલિઝાબેથ II ના અવસાન પછી રાજા ચાર્લ્સ III ની પત્ની ક્વીન કોન્સોર્ટ કેમિલાને સોંપવામાં આવ્યો હતો. પરંતુ, હવે કેમિલાએ આ વિવાદિત તાજ પહેરવાની ના પાડી દીધી છે. બકિંગહામ પેલેસે આ માહિતી આપી છે.

ખરેખર, આ વર્ષે મે મહિનામાં રાજા ચાર્લ્સ ત્રીજાનો રાજ્યાભિષેક થશે. આ સાથે તેઓ સત્તાવાર રીતે બ્રિટનના રાજાની ગાદી સંભાળશે. આ દરમિયાન કેમિલા આ કોહિનૂરથી જડાયેલો તાજ પહેરવાની હતી, પરંતુ તેણે તેનો ઇનકાર કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત લાંબા સમયથી કોહિનૂર હીરાને પરત કરવાની માંગ કરી રહ્યું છે, તેથી જો કેમિલા તે તાજ પહેરે તો નવો રાજકીય વિવાદ ઊભો થઈ શકે છે.

કોહિનૂર હીરા જડેલા તાજને છેલ્લે રાણી એલિઝાબેથ દ્વિતીય દ્વારા પહેરવામાં આવ્યો હતો, જે રાજા ચાર્લ્સના દાદી છે. એવું કહેવાય છે કે આ કોહિનૂર હીરા 105 કેરેટનો છે, જે વિશ્વના સૌથી મોટા કટ હીરામાંથી એક છે. કોહિનૂર એક મોટો, બેરંગ હીરો છે જે 14મી સદીની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં મળ્યો હતો. તે સંસ્થાનવાદી સમયગાળા દરમિયાન બ્રિટનના હાથમાં આવી ગયો હતો અને હવે તે ઐતિહાસિક માલિકી વિવાદનો વિષય છે, જેના પર ભારત દાવો કરી રહ્યું છે.

ભારત સિવાય આ દેશો પણ દાવો કરે છે

જોકે આ કોહિનૂર હીરા પર એકલું ભારત દાવો નથી કરતું. તેના પર ભારત સિવાય પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પણ 1947થી દાવો કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બ્રિટને ઘણા દેશોની નારાજગીથી બચવા માટે નવો રસ્તો પસંદ કર્યો છે. કિંગ ચાર્લ્સ III નો 6 મેના રોજ લંડનમાં વેસ્ટમિંસ્ટર એબીમાં રાજ્યાભિષેક થશે. અગાઉ એવું આયોજન કરવામાં આવ્યું હતું કે તે જ દિવસે કેમિલાને વિવાદાસ્પદ કોહિનૂર હીરાનો તાજ પહેરાવવામાં આવશે. પરંતુ રાજકીય સંવેદનશીલતાને જોતા આ યોજનાને રદ કરી શકાય છે. 


આ સમાચાર પણ વાંચો: 
આખરે ટ્વિટરને મળી ગયા નવા સીઈઓ.. એલોન મસ્કે નવા CEOની કરી જાહેરાત, નામ જાણી તમે ચોંકી જશો…

આ તાજમાં શું છે?

આ તાજમાં 28,00 હીરા છે. તેમાંથી 105 કેરેટનો પ્રખ્યાત કોહ-એ-નૂર હીરો છે. તે વિશ્વના સૌથી મોટા કટ હીરામાંથી એક છે. સમાચારો પરથી જાણવા મળ્યું છે કે રાજ્યાભિષેક સમયે કેમિલાને તાજ પહેરાવવાને લઈને બ્રિટનમાં ચિંતા હતી કારણ કે ભારત સહિત ઘણા દેશો તેના પર પોતાની માલિકીનો દાવો કરી રહ્યા છે.

વિદેશ મંત્રાલયે શું કહ્યું?

આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કેટલાક વર્ષો પહેલા સંસદમાં સરકાર દ્વારા આપવામાં આવેલા જવાબનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, હું સમજું છું કે ભારત સરકારે થોડા વર્ષો પહેલા સંસદમાં આનો જવાબ આપ્યો હતો. અમે કહ્યું છે કે અમે સમય સમય પર યુકે સરકાર સાથે વાત કરી રહ્યા છીએ અને અમે આ મામલાના સંતોષકારક ઉકેલ માટે માર્ગો અને માધ્યમો શોધવાનું ચાલુ રાખીશું.

કોહિનૂર વિશે કહેવાય છે કે આ હીરો 14મી સદીમાં આંધ્રપ્રદેશની ખાણમાંથી મળ્યો હતો, પરંતુ પંજાબ પર અંગ્રેજોના કબજા બાદ આ હીરાને 1849માં બ્રિટનની તત્કાલીન રાણી વિક્ટોરિયાને સોંપવામાં આવ્યો હતો. બાદમાં આ કોહિનૂરને શાહી તાજમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો:  એર ઈન્ડિયાએ કરી ઈતિહાસની સૌથી મોટી ડીલ: 250 વિમાન ખરીદવાની જાહેરાત કરી, પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More