News Continuous Bureau | Mumbai
Canada accuses India: ભારત ( India ) સાથે ચાલી રહેલા રાજદ્વારી તણાવ વચ્ચે કેનેડા ( Canada ) એ વધુ એક ગંભીર આરોપ લગાવ્યો છે. તાજેતરમાં જાહેર કરાયેલા અહેવાલ મુજબ, કેનેડાની ટોચની વિદેશી ગુપ્તચર એજન્સીએ ભારત પર દેશની ચૂંટણીમાં સંભવિત હસ્તક્ષેપનો આરોપ લગાવ્યો છે. આ પહેલીવાર છે જ્યારે ભારત પર કેનેડામાં આવી કોઈ ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ લાગ્યો છે.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં લાગેલા આરોપોની તપાસના આદેશ આપ્યા છે. રિપોર્ટ અનુસાર કેનેડાની એક પેનલ ત્યાંની ફેડરલ ચૂંટણી ( Canada election ) માં ભારતની ભૂમિકાની તપાસ કરશે. તાજેતરમાં, પેનલ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે કેનેડામાં 2019 અને 2021 માં યોજાયેલી સંઘીય ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપની તપાસ કરી રહેલા કમિશને સરકારને ભારત સંબંધિત માહિતી પ્રદાન કરવા કહ્યું છે.
કેનેડિયન ન્યૂઝ વેબસાઈટ ગ્લોબલ ન્યૂઝ અનુસાર, કેનેડાની ટોચની વિદેશી ગુપ્તચર એજન્સીએ તેના રિપોર્ટમાં આરોપ લગાવ્યો છે કે ભારતે દેશની ચૂંટણીમાં સંભવિત દખલ કરી છે.
જો આ મામલે ભારતનો હસ્તક્ષેપ નહીં રોકવામાં આવે તો સ્થિતિ વધુ બગડશેઃ રિપોર્ટ..
પોતાના રિપોર્ટમાં ગુપ્તચર એજન્સીએ ભારતને ‘વિદેશી હસ્તક્ષેપનો ખતરો’ ગણાવ્યો છે અને સરકારને કહ્યું છે કે દેશની લોકતાંત્રિક સંસ્થાઓ અને પ્રક્રિયાઓની સુરક્ષા માટે કેનેડાએ વધુ પ્રયત્નો કરવા જોઈએ. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો આ મામલે ભારતનો હસ્તક્ષેપ નહીં રોકવામાં આવે તો સ્થિતિ વધુ બગડશે.
કેનેડાએ આ આરોપ એવા સમયે લગાવ્યો છે. જ્યારે બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ પહેલાથી જ ચરમસીમા પર છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની ભૂમિકા વિશે વાત કરી હતી. કેનેડાની સંસદમાં બોલતા, તેમણે કહ્યું કે કેનેડિયન સુરક્ષા એજન્સીઓ ભારત સરકાર અને કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યા વચ્ચેના જોડાણના આરોપોની સક્રિયપણે તપાસ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : PM Modi Assam Visit : PM નરેન્દ્ર મોદી એ આસામમાં કર્યો મેગા રોડ શો, જનતાને આપી અધધ 11,600 કરોડની ભેટ.
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવતા કેનેડાએ વરિષ્ઠ ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા ત્યારે બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ ઉભો થયો. જે બાદ ભારતે કેનેડાના ટોચના રાજદ્વારીને પાંચ દિવસમાં દેશ છોડવાનો આદેશ પણ જારી કર્યો હતો.
થોડા દિવસો પછી, ભારતે કેનેડાને આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ અને કેનેડિયન રાજદ્વારીઓની વધુ સંખ્યાને ટાંકીને તેના રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવાનો આદેશ આપ્યો હતો. જે બાદ કેનેડાએ ભારતમાં હાજર પોતાના 41 વધારાના રાજદ્વારીઓને પાછા બોલાવ્યા હતા.
