Site icon

કેનેડા સરકાર ત્યાંના મૂળ નિવાસીઓને 17 હજાર કરોડનું વળતર ચૂકવશે, જાણો શું છે સમગ્ર મામલો 

2012માં આ કેસ દાખલ કરાયા હતા. કેનેડામાં 19મી સદીથી 1990ના દાયકા સુધી હજારો મૂળ નિવાસી વિદ્યાર્થીઓને 130 આવાસીય સ્કૂલોમાં રહીને ભણવું પડ્યું હતું. તેમને પોતાનાં પૂર્વજોની ભાષા બોલવા અને રીત-રિવાજ માનવાને કારણે હિંસાનો ભોગ બનવું પડતું હતું. અનેક કેસમાં મૂળ નિવાસીઓનાં બાળકોને તેમનાં પરિવારો પાસેથી ઝુંટવીને સ્કૂલોની હોસ્ટેલમાં દાખલ કરી દેવાતા હતા

Canada settles residential schools lawsuit for $2.8bn

કેનેડા સરકાર ત્યાંના મૂળ નિવાસીઓને 17 હજાર કરોડનું વળતર ચૂકવશે, જાણો શું છે સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

કેનેડા સરકારે મૂળ નિવાસીઓની ભાષા અને સંસ્કૃતિને નુકસાન પહોંચાડવાના આરોપમાં દાખલ અનેક કેસનો નિવેડો લાવવા સમાધાન કરી લીધું છે. જેના અંતર્ગત તે લગભગ રૂ.17 હજાર કરોડનું વળતર ચૂકવશે. એક રાષ્ટ્રીય આયોગે નિવાસી સ્કૂલોમાં આદિવાસીઓને ફરજિયાત રીતે દાખલ કરવાની સિસ્ટમને સાંસ્કૃતિક નરસંહાર જણાવ્યો હતો. 2012માં આ કેસ દાખલ કરાયા હતા. કેનેડામાં 19મી સદીથી 1990ના દાયકા સુધી હજારો મૂળ નિવાસી વિદ્યાર્થીઓને 130 આવાસીય સ્કૂલોમાં રહીને ભણવું પડ્યું હતું.

Join Our WhatsApp Community

તેમને પોતાનાં પૂર્વજોની ભાષા બોલવા અને રીત-રિવાજ માનવાને કારણે હિંસાનો ભોગ બનવું પડતું હતું. અનેક કેસમાં મૂળ નિવાસીઓનાં બાળકોને તેમનાં પરિવારો પાસેથી ઝુંટવીને સ્કૂલોની હોસ્ટેલમાં દાખલ કરી દેવાતા હતા. આવી મોટાભાગની સ્કૂલો ચર્ચ ચલાવતા હતા. આ સ્કૂલોમાં બીમારી, કુપોષણ, ઉપેક્ષા, દુર્ઘટનાઓ, અગ્નિકાંડો અને હિંસામાં હજારો વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયા હતા. નવા સમાધાન અંતર્ગત અદાલતની મંજૂરી મળવાની બાકી છે. જો સમાધાન મંજૂર થાય છે તો 2006 પછી આ પૂર્વ છાત્રોને વળતર આપવાનો આ છઠ્ઠો કેસ હશે. એ સમયે રચાયેલા એક આયોગે પૂર્વ છાત્રોની સુનાવણીની અનેક ભલામણો કરી હતી. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ નવા સમાધાનને સંપૂર્ણ રીતે લાગુ કરવાનું વચન આપ્યું છે. મૂળ નિવાસી બાબતોના મંત્રી માર્ક મિલરનું કહેવું છે કે, કેસ દાખલ કરનારાનું એ કહેવું સાચું છે કે, તેમની ભાષા,સંસ્કૃતિ અને વારસાનો સફાયો કરાયો છે. સરકાર અત્યાર સુધી આ પ્રકારના કેસોમાં કુલ રૂ.80 હજાર કરોડ આપી ચૂકી છે. 

આ સમાચાર પણ વાંચો:  Spicy Food: માત્ર 10 મિનિટમાં તૈયાર કરો મસાલેદાર વટાણાનું અથાણું, ખાવાનો સ્વાદ બમણો થઈ જશે

Ali Larijani Killed Israel Attack: ઈઝરાયેલી હુમલામાં અલી લારીજાની અને તેમના પુત્રનું મોત, ઈરાને ૧૦૦ મિસાઈલો છોડી લીધો બદલો; મધ્ય પૂર્વમાં સ્થિતિ બેકાબૂ
Saudi Oil Supply to India: ભારત માટે આ દેશ બન્યો ‘સંકટ સમયનો સાથી’: હોર્મુઝની ખાડીમાં યુદ્ધ છતાં ૬૦ લાખ બેરલ તેલનો જથ્થો મોકલ્યો, દેશમાં નહીં સર્જાય ઇંધણની અછત
Global Eyes on PM Modi: ઈરાન-ઈઝરાયેલ જંગમાં પીએમ મોદી ‘ગેમ ચેન્જર’! ભારતની મધ્યસ્થી પર ટકી દુનિયાની નજર, જાણો કેવી રીતે ટળશે આફત
“No Nukes for Madmen”:પરમાણુ હથિયાર પર ટ્રમ્પનું મોટું નિવેદન: ઈરાન પર હુમલા વધુ તેજ કરવાની આપી ચેતવણી, જંગ રોકવા માટે સમયમર્યાદા નક્કી કરી
Exit mobile version