ન્યુઝ કન્ટિન્યુઝબ્યુરો,
15 ફેબ્રુઆરી, ૨૦૨૨
મંગળવાર.
કેનેડામાં કોવિડ નિયમના અંતની માંગ સાથે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને સમાપ્ત કરવા માટે કટોકટી લાગુ કરી છે.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ઇમરજન્સી એક્ટ લાગુ કરી દીધો છે.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું કે ટ્રક ડ્રાઇવરો અને અન્યોના ઉગ્ર વિરોધને ધ્યાનમાં રાખીને કટોકટીની સ્થિતિ લાદવામાં આવી છે.
ઇમરજન્સી એક્ટ અમલમાં આવવાથી, પોલીસને એવા સ્થળોએ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે વધુ સત્તા આપવામાં આવી છે જ્યાં હિંસક પ્રદર્શન અને નાકાબંધી જેવી ખતરનાક પ્રવૃત્તિઓ થઇ રહી છે.
નોંધનીય છે કે કેનેડામાં કોરોના વેક્સિનને ફરજિયાત બનાવવા મુદ્દે શરૂ થયેલું પ્રદર્શન એક મોટું સંકટ બની ગયું છે.
‘મહારાજા’ને મળ્યા નવા CEO, ટાટા ગ્રુપે આ તુર્કી બિઝનેસમેન પર વ્યક્ત કર્યો વિશ્વાસ; જાણો વિગતે
