લો બોલો! ચ્યુઈંગમ કોરોનાથી બચાવશે એવો વિચિત્ર દાવો કર્યો છે આ યુનિર્વસીટીએ; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 2 ડિસેમ્બર 2021
ગુરુવાર.

પૂરી દુનિયાને કોરોનાથી ત્રસ્ત થઈ ગઈ છે. કોરોનાથી બચવા વેક્સિનેશન મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે ત્યારે કોરોનાથી બચવા માટે કોરોનાની વેક્સિનની સાથે જ ખાસ પ્રકારની ચ્યુઈંગમ પ્રભાવી સાબિત થશે એવો દાવો પેનિસિલ્વ્હાનિયા યુનિર્વસિટીના નિષ્ણાતોએ કર્યો છે.
આ નિષ્ણાતોના દાવા મુજબ ચ્યુઈંગમ ખાતા હોય ત્યારે 95 ટકા કોરોનાના વિષાણુ મોઢોમાં જ ટ્રેપ થઈ જાય છે. તેથી કોરોનાનો ચેપ લાગવાનું જોખમ ઘટી જશે.

કોરોનાના વિષાણુ લાળ દ્વારા મોટા પ્રમાણમાં ફેલાતા હોવાથી તેનો ચેપ ઝડપથી ફેલાય છે. વૈજ્ઞાનિકોએ સંશોધન માટે વાપરેલું ચ્યુઈંગમ ખાતા સમયે તે મોઢામાં જાળીની માફક કામ કરશે. તેથી કોરોનાગ્રસ્ત વ્યક્તિ બોલતા સમયે અથવા છીંકતા સમયે તેના મોઢામાંથી બહાર પડનારા વિષાણુઓને રોકવાનું કામ આ ચ્યુઈંગમ કરશે, એવો દાવા પણ આ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કર્યા છે.

 

અવળચંડા પાકીસ્તાને રંગ દેખાડ્યો. કરતારપુર સાહિબમાં મોડેલનું ફોટોશૂટ થયું. ભારતે ઉઠાવ્યું આ પગલું. જાણો વિગત…

આ ચ્યુંઈગમમાં એસઈ-2 પ્રોટીન હોય છે, જે પેશીના પૃષ્ઠભાગ સુધી જાય છે. કોરોના વિષાણુ પેશીમાં  જશે તો પણ તેના ઘટકો ચ્યુંઈગમના એસઈ-2 પ્રોટીનમાં ભળી જળે.  ત્યારે તેનો વાઈરલ લોડ 95 ટકા સુધી ઓછો થશે એવો પણ આ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે. આ ચ્યુઈંગમનો ટેસ્ટ લોકો ખાય છે તેવી ચ્યુઈંગમ જેવો જ હશે. હજી સુધી જોકે તે બજારમાં ખાવા માટે ઉપલબ્ધ થઈ નથી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More