લદ્દાખમાં તણાવ વચ્ચે ડ્રેગને ભારતને આપી ‘ધમકી’ કહ્યું-‘જો યુદ્ધ થશે તો કરવો પડશે હારનો સામનો’

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 ઑક્ટોબર, 2021 

બુધવાર

ભારત અને ચીનની સરહદ પર તણાવ યથાવત છે. 13 મા રાઉન્ડની વાતચીત પછી પણ મે 2020 જેવી સ્થિતિ પુન:સ્થાપિત થઈ શકી નથી. 

દરમિયાન, ચીનના સત્તાવાર અખબાર ગ્લોબલ ટાઇમ્સે ભારતને ધમકી આપતા કહ્યું છે કે, જો ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થાય તો ભારત આ યુદ્ધ હારી જશે.

ગ્લોબલ ટાઈમ્સમાં પ્રકાશિત તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે, ‘નવી દિલ્હી, એક વાત સ્પષ્ટ રીતે સમજો. તે જે રીતે મર્યાદા હાંસલ કરવા માંગે છે તે મળશે નહીં. જો યુદ્ધ શરૂ થશે તો તેને ચોક્કસ હારનો સામનો કરવો પડશે.‘ 

બંને પક્ષો વચ્ચે વાતચીત બાદ ભારતીય સેનાએ કહ્યું કે ચીની સેના તેના દ્વારા આપવામાં આવેલા ‘સકારાત્મક સૂચનો’ માટે સંમત નથી.

ઉલ્લેખનીય છે કે ચીન અને ભારતની વચ્ચે સરહદ વિવાદ હજુ પણ ચાલુ છે. તેનું મૂળ કારણ ભારતીય પક્ષ વતી મંત્રણામાં યોગ્ય વલણનો અભાવ છે. વાસ્તવિક સ્થિતિની તદ્દન વિપરીત રીતે ભારતની માગ અવ્યવહારિક છે. 

શૅરબજારના બિગ બુલિશ રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું અપના ટાઇમ આ ગયા; ઝુનઝુનવાલાની 'આકાસા ઍર'ના વિમાનો ઊડશે

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *