વિશ્વના આ દેશમાં વેક્સિનેશન ફરજીયાત કરાતા લોકો ઉતર્યા રસ્તા પર, કર્યું વિરોધ પ્રદર્શન; જાણો વિગતે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 3 ફેબ્રુઆરી 2022

ગુરુવાર 

કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા રસીકરણને ફરજિયાત બનાવવા માટે કેનેડાની રાજધાની ઓટાવામાં સંસદ ભવનની સામે નાગરિકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. ગત અઠવાડિયે હજારો વિરોધીઓએ ઓટાવામાં પ્રદર્શન કર્યું અને સંસદ હિલની આસપાસ ટ્રાફિકને જાણી જોઈને અવરોધિત કર્યો હતો. તો કેટલાક વિરોધીઓએ નેશનલ વોર મેમોરિયલ પર પેશાબ પણ કર્યો હતો. અહીં એક અજાણ્યાએ સૈનિકની કબર પર ડાન્સ પણ કર્યો હતો. કેનેડામાં અત્યાર સુધીની સૌથી મોટી મહામારીમાં ૮૦% થી વધુ રસીકરણ કરવામાં આવ્યું છે તેમ છતાં વિરોધીઓને થોડી સહાનુભૂતિ મળી છે

આ વિરોધ પ્રદર્શનના કારણે પીએમ જસ્ટિન ટ્રૂડોને પરિવાર સાથે સુરક્ષિત ગુપ્ત જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા. તેના બે બાળકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો અને તેનું પરિણામ પોઝિટિવ આવ્યું. પીએમએ કહ્યું છે કે તેઓ ઠીક છે અને દૂરથી કામ કરી રહ્યા છે. ઓટાવાના મેયર જિમ વોટસને પ્રદર્શન પર કહ્યું છે કે લોકોને સરકાર સામે વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ અન્ય લોકોને સામાન્ય જીવન જીવવાનો અધિકાર છે. તેને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રને જરૂરી પગલાં લેવા જણાવાયું છે. તેમણે એમ પણ કહ્યું કે હવે આગળ વધવાનો અને શહેરને તેના રહેવાસીઓને પરત આપવાનો સમય આવી ગયો છે. 

હવે દુશ્મનની ખેર નથી, ઈઝરાયેલ પોતાની સરહદે તૈયાર કરશે આ અનોખી દીવાલ; જાણો વિગતે

પ્રદર્શનકારીઓએ કહ્યું છે કે જ્યાં સુધી રસીના તમામ આદેશો અને અન્ય પ્રતિબંધો હટાવવામાં ન આવે ત્યાં સુધી તેઓ જશે નહીં. આ દરમિયાન કેટલાક વિરોધીઓએ કોરોના પ્રતિબંધોની તુલના ફાસીવાદ સાથે કરી હતી અને કેનેડાના ધ્વજ સાથે નાઝી પ્રતીકો પ્રદર્શિત કર્યા હતા. કેટલાક વિરોધીઓએ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોની તીવ્ર ટીકા કરી તેમને નિશાન બનાવ્યા હતા. 

મોન્ટ્રીયલના ડેવિડ સાન્તોસે કહ્યું કે તેઓ માને છે કે રસીકરણ ફરજિયાત બનાવવું એ સ્વાસ્થ્ય સંબંધિત નથી, પરંતુ સરકાર દ્વારા ‘વસ્તુઓને નિયંત્રિત કરવા’ માટેની યુક્તિ છે. વિરોધ પ્રદર્શનના આયોજકોએ તમામ કોવિડ -૧૯ પ્રતિબંધો અને રસીકરણને ફરજિયાત બનાવવાના ર્નિણયને પાછો ખેંચવાની અને વડા પ્રધાન ટ્રૂડોના રાજીનામાની માંગ કરી હતી. 

સરકારના આદેશ મુજબ ૧૫ જાન્યુઆરીથી,ટ્રક ચાલકોએ સરહદ પાર કરવા માટે રસીકરણનો પુરાવો દર્શાવવો જરૂરી છે. રસી વિનાના ટ્રક ડ્રાઇવરોને યુએસથી પરત ફરતી વખતે આઇસોલેટ થવું પડશે અને કોરોના ટેસ્ટ કરાવવો પડશે. ટ્રક ડ્રાઈવરો માટે પણ આવો જ નિયમ યુએસમાં ૨૨ જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યો હતો. આ નિયમોને કારણે બંને દેશોમાં સપ્લાય ચેઈન ખોરવાઈ રહી છે અને ખાદ્યપદાર્થોના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More