Site icon

Donald Trump: સૌને આંચકો… જે નહોતું થવું તે જ થયું, જાણો કોર્ટે ટ્રમ્પને એવી તે શું મંજૂરી આપી કે હવે ભારતીયો માટે વધશે મુશ્કેલી

Donald Trump: અમેરિકી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ પ્રશાસનને ઈમિગ્રેશન પોલિસી લાગુ કરવાની મંજૂરી આપી, વિઝા અવધિ પૂરી થઈ હોય તેવા લોકો માટે જોખમ વધ્યું

Donald Trump Tariffs

Donald Trump Tariffs

News Continuous Bureau | Mumbai

Donald Trump અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક વિશ્વને આંચકા આપી રહ્યા છે, અને હવે તેમનો ટાર્ગેટ ભારત પર છે. તાજેતરમાં, અમેરિકી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ પ્રશાસનને ઇમિગ્રેશન નીતિ લાગુ કરવાની મંજૂરી આપી છે, જે વિદેશી નાગરિકો, ખાસ કરીને ભારતીયો માટે મોટા જોખમરૂપ સાબિત થઈ શકે છે. આ નિર્ણયને કારણે ટ્રમ્પ હવે સીધા જ વિદેશી નાગરિકોને દેશ છોડવાનો આદેશ આપી શકશે.

Join Our WhatsApp Community

સુપ્રીમ કોર્ટનો નિર્ણય શું છે?

અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ પ્રશાસનને ઇમિગ્રેશન નીતિ લાગુ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. જોકે, એક નાનકડી શરત છે કે જો એજન્ટ્સને ખબર પડે કે સામેવાળી વ્યક્તિ અમેરિકી નાગરિક છે અથવા કાયદેસર રીતે દેશમાં રહે છે, તો તેને તરત જ જવા દેવો પડશે. પરંતુ, અન્ય દેશોના નાગરિકો પર સીધી કાર્યવાહી કરી શકાશે. આ નીતિથી દેશની સુરક્ષા મજબૂત થશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે, એવો પ્રશાસનનો દાવો છે.

ભારતીયો માટે કેમ છે જોખમી?

આ નીતિનો સૌથી મોટો ભય ભારતીય નાગરિકોને છે. મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો અમેરિકામાં વસવાટ કરે છે અને મોટી કંપનીઓમાં ઉચ્ચ પદો પર કામ કરે છે. ટ્રમ્પનું માનવું છે કે વિદેશી નાગરિકો મોટી સંખ્યામાં નોકરીઓ મેળવી રહ્યા છે અને પૈસા કમાઈ રહ્યા છે, જેના કારણે અમેરિકન લોકોને નોકરીઓ મળતી નથી. આ નીતિ હવે ભારતીયો માટે જોખમરૂપ બની શકે છે, ખાસ કરીને જેમની વિઝા અવધિ પૂરી થઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai High Alert: નૌકાદળના અધિકારી ના ગણવેશ માં આવેલા વ્યક્તિએ જવાન પાસે થી છીનવી આ વસ્તુઓ, એટીએસ થયું સક્રિય

નીતિ સામે વિરોધ પ્રદર્શન

ટ્રમ્પ પ્રશાસનની આ નીતિઓનો ભારે વિરોધ થઈ રહ્યો છે. જુલાઈમાં કેટલાક સ્થળાંતરિત લોકોએ ટ્રમ્પ પ્રશાસન વિરુદ્ધ કાનૂની કાર્યવાહી શરૂ કરી હતી. તેમ છતાં, ટ્રમ્પના ટેરિફ ના નિર્ણયોએ ભારત અને અમેરિકાના સંબંધોમાં તણાવ વધાર્યો છે. આ બીજી નીતિ વધુ જોખમી સાબિત થઈ શકે છે. પાછલા કેટલાક વર્ષોથી અમેરિકામાંથી વિઝાની મુદત પૂરી થઈ ગયેલા લોકોને દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે, અને વિઝાની શરતોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

Attacks on Journalists in 2025: પત્રકારો પર વૈશ્વિક સંકટ, ૨૦૨૫માં ૧૨૮ પત્રકારોની હત્યા, IFJ એ જાહેર કર્યા હૃદયદ્રાવક આંકડા.
Mir Yar Baloch: ભારત બલૂચોનો છેલ્લો સહારો? મીર યાર બલોચે PM મોદી અને જયશંકરને પત્ર લખી પાક-ચીન ગઠબંધન સામે ચેતવ્યા
Iran Protests 2026: ઈરાનમાં મોંઘવારીનો ભડકો: ખામેની વિરુદ્ધ જનતા રસ્તા પર, હિંસામાં ૭ ના મોત; શું ઈરાનમાં થશે સત્તાપલટો?
Donald Trump Health: ટ્રમ્પના હાથ પર વાદળી નિશાન કેમ? સ્વાસ્થ્ય પર ઉઠેલા સવાલોનો અમેરિકી રાષ્ટ્રપતિએ આપ્યો મજેદાર જવાબ
Exit mobile version