Site icon

આર્મેનિયા V/S અઝરબૈજાન = યુદ્ધના 16 દિવસ: અત્યાર સુધીમાં 600 થી વધુના થયા મોત

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
14 ઓક્ટોબર 2020

આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે નાગોર્નો-કારાબાખને લઈને ચાલી રહેલા લડાઈમાં મરનારાઓની સંખ્યા 600થી ઉપર પહોંચી ગઈ છે. રશિયાના નેતૃત્વમાં સંઘર્ષવિરામની જાહેરાત છતાં ચાલી રહેલ લડાઈમાં બંને દેશોના સૈનિકો અને નાગરિકોના મોત થયા છે. નાગોર્નો-કારાબાખના સૈન્ય અધિકારીઓએ જણાવ્યું છે કે 27 સપ્ટેમ્બરના રોજથી શરૂ થયેલ લડાઈમાં તેમના 532 સૈનિકોના મોત થઇ ચુક્યા છે.

Join Our WhatsApp Community

બંને પક્ષે કરવામાં આવેલ દાવાઓને જોઈએ તો કુલ માર્યા ગયેલ લોકોની સંખ્યા ઘણી વધુ હોવાની આશંકા છે, અજરબૈજાને જણાવ્યું છે કે છેલ્લા 2 સપ્તાહની લડાઈમાં તેના 42 જેટલા સામાન્ય નાગરિકોના મોત થયા છે. જ્યારે સેંકડો ની સંખ્યામાં ઘાયલ છે.

રશિયાની મધ્યસ્થતામાં શાંતિના પ્રયાસો છતાં બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. કરાર દરમ્યાન રશિયાએ હતું કે યુદ્ધકેદીઓ અને અન્ય પકડવામાં આવેલ લોકોની અદલાબદલીના માનવીય ઉદ્દેશ્યની સાથે સાથે સૈનિકોના મૃતદેહોની પણ અદલાબદલી પર સહમતી સાથે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી.

Donald Trump on Russian Oil: રશિયન તેલ પરના પ્રતિબંધો હટાવશે અમેરિકા? ક્રૂડ ઓઈલના વધતા ભાવને રોકવા ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો સંકેત; વાંચો લેટેસ્ટ અપડેટ
PM Modi: ઈરાન-ઈઝરાયેલ જંગ વચ્ચે સૌથી મોટો દાવો! “માત્ર પીએમ મોદી જ કરાવી શકે છે યુદ્ધવિરામ”, જાણો કેમ પૂર્વ રાજદૂતે ભારતને ગણાવ્યું શાંતિનું દૂત
Trump and Putin Hold 1-Hour Call Over Iran War: ઈરાન યુદ્ધ રોકવા રશિયાએ આપ્યો ‘શાંતિ પ્લાન’, શું પશ્ચિમ એશિયામાં આવશે શાંતિ?
Israel-Iran War Update: ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પર ઇરાનનો વળતો પ્રહાર, ૨૦ ગણા ભયાનક હુમલાની ધમકી વચ્ચે ઇરાને બતાવ્યા આકરા તેવર.
Exit mobile version