Site icon News Continuous Bureau | Mumbai

આર્મેનિયા V/S અઝરબૈજાન = યુદ્ધના 16 દિવસ: અત્યાર સુધીમાં 600 થી વધુના થયા મોત

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
14 ઓક્ટોબર 2020

આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે નાગોર્નો-કારાબાખને લઈને ચાલી રહેલા લડાઈમાં મરનારાઓની સંખ્યા 600થી ઉપર પહોંચી ગઈ છે. રશિયાના નેતૃત્વમાં સંઘર્ષવિરામની જાહેરાત છતાં ચાલી રહેલ લડાઈમાં બંને દેશોના સૈનિકો અને નાગરિકોના મોત થયા છે. નાગોર્નો-કારાબાખના સૈન્ય અધિકારીઓએ જણાવ્યું છે કે 27 સપ્ટેમ્બરના રોજથી શરૂ થયેલ લડાઈમાં તેમના 532 સૈનિકોના મોત થઇ ચુક્યા છે.

Join Our WhatsApp Channel

બંને પક્ષે કરવામાં આવેલ દાવાઓને જોઈએ તો કુલ માર્યા ગયેલ લોકોની સંખ્યા ઘણી વધુ હોવાની આશંકા છે, અજરબૈજાને જણાવ્યું છે કે છેલ્લા 2 સપ્તાહની લડાઈમાં તેના 42 જેટલા સામાન્ય નાગરિકોના મોત થયા છે. જ્યારે સેંકડો ની સંખ્યામાં ઘાયલ છે.

રશિયાની મધ્યસ્થતામાં શાંતિના પ્રયાસો છતાં બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. કરાર દરમ્યાન રશિયાએ હતું કે યુદ્ધકેદીઓ અને અન્ય પકડવામાં આવેલ લોકોની અદલાબદલીના માનવીય ઉદ્દેશ્યની સાથે સાથે સૈનિકોના મૃતદેહોની પણ અદલાબદલી પર સહમતી સાથે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી.

Global Gold Market અધધ ૪૪,૦૦૦ કિલો ‘સોનું’ વેચાઈ ગયું… આસમાને પહોંચેલી કિંમતો વચ્ચે ભારતના આ મિત્ર દેશે રમી ‘મોટી રમત’, હવે આગળ શું થશે?
Why Israel Is Not Joining US Against Iran યુએસઈરાન જંગમાં ઈઝરાયલ કેમ છે ચૂપ? જાણો ઈઝરાયલની નવી ‘વેઇટ એન્ડ વોચ’ રણનીતિ
US Saudi Nuclear Deal વૈશ્વિક ચિંતા વધી યુએસસાઉદી પરમાણુ કરાર પર વિવાદ, યુરેનિયમ સંવર્ધનથી પરમાણુ હથિયારોનો ખતરો
Pakistan Demands Rupees From USA ઈરાન સંઘર્ષ વચ્ચે પાકિસ્તાનની નવી ચાલ; એરસ્પેસ વપરાશના બદલામાં અમેરિકા પાસે બિલ ફાડ્યું…
Exit mobile version