Site icon News Continuous Bureau | Mumbai

આર્મેનિયા V/S અઝરબૈજાન = યુદ્ધના 16 દિવસ: અત્યાર સુધીમાં 600 થી વધુના થયા મોત

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
14 ઓક્ટોબર 2020

આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે નાગોર્નો-કારાબાખને લઈને ચાલી રહેલા લડાઈમાં મરનારાઓની સંખ્યા 600થી ઉપર પહોંચી ગઈ છે. રશિયાના નેતૃત્વમાં સંઘર્ષવિરામની જાહેરાત છતાં ચાલી રહેલ લડાઈમાં બંને દેશોના સૈનિકો અને નાગરિકોના મોત થયા છે. નાગોર્નો-કારાબાખના સૈન્ય અધિકારીઓએ જણાવ્યું છે કે 27 સપ્ટેમ્બરના રોજથી શરૂ થયેલ લડાઈમાં તેમના 532 સૈનિકોના મોત થઇ ચુક્યા છે.

Join Our WhatsApp Channel

બંને પક્ષે કરવામાં આવેલ દાવાઓને જોઈએ તો કુલ માર્યા ગયેલ લોકોની સંખ્યા ઘણી વધુ હોવાની આશંકા છે, અજરબૈજાને જણાવ્યું છે કે છેલ્લા 2 સપ્તાહની લડાઈમાં તેના 42 જેટલા સામાન્ય નાગરિકોના મોત થયા છે. જ્યારે સેંકડો ની સંખ્યામાં ઘાયલ છે.

રશિયાની મધ્યસ્થતામાં શાંતિના પ્રયાસો છતાં બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. કરાર દરમ્યાન રશિયાએ હતું કે યુદ્ધકેદીઓ અને અન્ય પકડવામાં આવેલ લોકોની અદલાબદલીના માનવીય ઉદ્દેશ્યની સાથે સાથે સૈનિકોના મૃતદેહોની પણ અદલાબદલી પર સહમતી સાથે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી.

Uproar in London at CJI Surya Kant’s Event લંડનમાં ભારતનું અપમાન! CJI ના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન, અસંમતિના નામે ‘કોકરોચ’ ટિપ્પણી પર થયો ભારે હોબાળો
Donald Trump Iran Nuclear Claim ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો ઈરાનની પરમાણુ અને મિસાઈલ શક્તિ લગભગ નષ્ટ, હવે ન્યુક્લિયર હથિયાર બનાવવાની સ્થિતિમાં નથી તેહરાન
R Praggnanandhaa પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ નોર્વે ચેસ ટૂર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય બન્યો, દિગ્ગજ મેગ્નસ કાર્લસનને બે વાર હરાવી મેળવી ઐતિહાસિક સિદ્ધિ
Putin hails India ties વૈશ્વિક મંચ પર ભારતનો દબદબો! પુતિને કહ્યું પીએમ મોદીને ડરાવવા કે ઝુકાવવા એ અમેરિકાના વશની વાત નથી.
Exit mobile version