Site icon News Continuous Bureau | Mumbai

Devendra Fadnavis: મહારાષ્ટ્રમાં ૩૪ હજાર કરોડનું રોકાણ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં થયા આટલા સમજૂતી કરારો પર હસ્તાક્ષર.

Devendra Fadnavis: ગણેશોત્સવના શુભ મુહૂર્ત પર મહારાષ્ટ્રમાં મોટો રોકાણ પ્રવાહ. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં ૧૭ સમજૂતી કરારો પર હસ્તાક્ષર.

મહારાષ્ટ્રમાં ₹34 હજાર કરોડનું રોકાણ, સમજૂતી કરારો પર હસ્તાક્ષર

મહારાષ્ટ્રમાં ₹34 હજાર કરોડનું રોકાણ, સમજૂતી કરારો પર હસ્તાક્ષર

News Continuous Bureau | Mumbai
Devendra Fadnavis: ગણેશોત્સવના પવિત્ર અવસર પર મહારાષ્ટ્ર રાજ્યમાં મોટું રોકાણ આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્યોગ મંત્રી ઉદય સામંતની હાજરીમાં કુલ ૧૭ સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ કરારોની કુલ કિંમત આશરે ૩૩,૭૬૮.૮૯ કરોડ રૂપિયા છે, જેનાથી રાજ્યમાં અંદાજે ૩૩,૪૮૩ નવી નોકરીઓ ઊભી થશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, વૈશ્વિક ટેરિફ વોર ચાલી રહી હોવા છતાં, મહારાષ્ટ્રને આટલા મોટા પ્રમાણમાં રોકાણ મળવું એ રોકાણકારોનો રાજ્ય પરનો વિશ્વાસ દર્શાવે છે.

વિવિધ ક્ષેત્રોમાં રોકાણથી રાજ્યના તમામ પ્રદેશોને લાભ

આ રોકાણમાં ઈલેક્ટ્રોનિક્સ, સ્ટીલ, સોલાર, ઇલેક્ટ્રિક બસો અને ટ્રક્સ, સંરક્ષણ અને તેના સંબંધિત વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આના પરિણામે ઉત્તર મહારાષ્ટ્ર, પુણે, વિદર્ભ, કોંકણ જેવા મહારાષ્ટ્રના તમામ વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપિત કરવાની તક મળશે. મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું, “રોકાણકારોને મહારાષ્ટ્રમાં એક સરળ અને સુવ્યવસ્થિત અનુભવ મળે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. અમે ફક્ત કરારો પર હસ્તાક્ષર કરીને અટકશું નહીં, પરંતુ રોકાણના દરેક તબક્કે રાજ્ય સરકાર ભાગીદાર તરીકે સાથે રહેશે. આ મામલે ક્યાંય પણ કોઈ અવરોધ નહીં આવે.”

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પને ટેરિફ પર મોટો ફટકો, કોર્ટે ગણાવ્યું ગેરકાયદેસર, જાણો અમેરિકન રાષ્ટ્રપતિએ શું કહ્યું?

‘મૈત્રી પોર્ટલ’ દ્વારા વન-સ્ટોપ સોલ્યુશન

આ પ્રસંગે તેમણે ‘મૈત્રી પોર્ટલ’ નામની વન-સ્ટોપ કન્સેપ્ટનો વિશેષ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે સરકાર ઉદ્યોગો માટે જમીન, પરવાનગીઓ અને અન્ય મંજૂરીઓ તાત્કાલિક મેળવવા માટે પ્રયત્નશીલ છે. ઉર્જા સંબંધિત નિર્ણયોનો ઉલ્લેખ કરતાં ફડણવીસે કહ્યું કે, “રાજ્યમાં તાજેતરમાં ૫ વર્ષ માટે મલ્ટી-ઇયર ટેરિફ મંજૂર કરવામાં આવ્યો છે, જેનાથી વીજળીના દરો વર્ષે ને વર્ષે ઘટશે. અગાઉ દર વર્ષે વીજળીના દરોમાં ૯ ટકાનો વધારો થતો હતો, પરંતુ હવે તે ઘટશે. આ ઉદ્યોગો માટે મોટી રાહત લાવશે.”

રોકાણકારોનો વિશ્વાસ વધારવા માટે સ્થિર નીતિઓ

મુખ્યમંત્રી ફડણવીસે આગળ જણાવ્યું કે, રાજ્ય સરકારે ઉદ્યોગ ક્ષેત્રમાં રોકાણના જીવનચક્રને સ્થિર અને અનુમાનિત રાખવાની નીતિ અપનાવી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આનાથી રોકાણકારોનો વિશ્વાસ વધશે.

MMRDA Friday public transport ruleએમએમઆરડીએનો મોટો અને ઐતિહાસિક નિર્ણય, મુંબઈના આ પ્રખ્યાત બિઝનેસ હબમાં દર શુક્રવારે માત્ર સાર્વજનિક વાહનો જ ચાલશે!
Uproar in London at CJI Surya Kant’s Event લંડનમાં ભારતનું અપમાન! CJI ના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન, અસંમતિના નામે ‘કોકરોચ’ ટિપ્પણી પર થયો ભારે હોબાળો
Mumbai Tragedy। જુહુ ચોપાટી પર દરિયામાં ડૂબી જતાં ૧૬ વર્ષના સગીરનું કમકમાટીભર્યું મોત
Mumbai Ludo Crime। ઓનલાઈન લુડો રમતા પ્રેમમાં અંધ થઈ ૧૦.૫ લાખ લઈને ભાગેલી સગીરા ગુજરાતમાંથી પકડાઈ
Exit mobile version