Pakistan Defense Minister Khawaja Asif: ઈઝરાયેલના ખોફથી પાકિસ્તાનમાં ફફડાટ! રક્ષા મંત્રીએ રાતોરાત પોતાની જ પોસ્ટ્સ ડિલીટ કરી, જાણો કેવી રીતે નેતન્યાહુ સામે ઝૂક્યું પાકિસ્તાન

ઇસ્લામાબાદમાં શાંતિ વાર્તા પહેલા પાકિસ્તાનની પીછેહઠ; ઇઝરાયેલના વડાપ્રધાન કાર્યાલયની ફટકાર બાદ મંત્રીએ ‘એક્સ’ (ટ્વિટર) પરથી હટાવ્યા વિવાદાસ્પદ નિવેદનો.

by samadhan gothal
Pakistan Defense Minister Khawaja Asif ઈઝરાયેલના ખોફથી પાકિસ્તાનમાં ફફડાટ! રક્ષા મંત્રીએ

News Continuous Bureau | Mumbai
Pakistan Defense Minister Khawaja Asif ઇસ્લામાબાદમાં યોજાનારી આગામી શાંતિ વાર્તા પહેલા પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફને ઇઝરાયેલ વિરુદ્ધ ટિપ્પણી કરવી ભારે પડી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલય તરફથી મળેલી કડક ચેતવણી અને આકરી પ્રતિક્રિયા બાદ ખ્વાજા આસિફે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ઇઝરાયેલ વિરોધી પોસ્ટ ડિલીટ કરવાની ફરજ પડી છે. આ ઘટનાક્રમને આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનના ‘રાજદ્વારી શરણાગતિ’ તરીકે જોવામાં આવી રહ્યો છે.ખ્વાજા આસિફે પોતાની પોસ્ટમાં ઇઝરાયેલને ‘માનવતા માટે અભિશાપ’ ગણાવ્યું હતું. આ નિવેદન પર ઇઝરાયેલે અત્યંત આક્રમક વલણ અપનાવતા તેને ‘અપમાનજનક’ ગણાવ્યું હતું. ઇઝરાયેલના પીએમઓએ સ્પષ્ટ કર્યું કે જે દેશ પોતે મધ્યસ્થી હોવાનો દાવો કરે છે તેના તરફથી આવી ભાષા સાંખી લેવામાં આવશે નહીં.

ઇસ્લામાબાદ શાંતિ વાર્તા અને પાકિસ્તાન પર દબાણ

આ વિવાદ એવા સમયે ઉભો થયો છે જ્યારે પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાર્તાની યજમાની કરવાની તૈયારી કરી રહ્યું છે. ઇઝરાયેલની ફટકાર બાદ તુરંત જ પોસ્ટ ડિલીટ કરવી એ દર્શાવે છે કે પાકિસ્તાન અત્યારે કોઈ પણ વૈશ્વિક દબાણ સહન કરવાની સ્થિતિમાં નથી. નિષ્ણાતો માને છે કે આ કિસ્સાએ પાકિસ્તાનની ‘શાંતિદૂત’ તરીકેની છબીને મોટું નુકસાન પહોંચાડ્યું છે.

ભારતને આપેલી ધમકીઓ પર પણ સવાલો

ખ્વાજા આસિફ માત્ર ઇઝરાયેલ જ નહીં, પણ ભારત વિરુદ્ધ પણ સતત નિવેદનો આપતા રહ્યા છે. તાજેતરમાં જ તેમણે ભારતને ‘કોલકાતા પર હુમલો કરવાની’ ગીધડભભકી આપી હતી. જોકે, ઇઝરાયેલ જેવી આંતરરાષ્ટ્રીય શક્તિ સામે જે રીતે તેમણે પોતાની પોસ્ટ ડિલીટ કરી છે, તેના પરથી સાબિત થાય છે કે પાકિસ્તાન પ્રાદેશિક શાંતિ પ્રક્રિયામાં અત્યારે પોતાની સ્થિતિ જોખમમાં મૂકવા માંગતું નથી.

આ સમાચાર પણ વાંચો: Hormuz Crisis: ઈરાનના એક નિર્ણયથી ટ્રમ્પનો પારો સાતમા આસમાને! તેલના ટેન્કરો પર વસૂલાતો ‘ટોલ ટેક્સ’ બનશે યુદ્ધનું કારણ?

રાજદ્વારી સંવેદનશીલતા અને સોશિયલ મીડિયા

આ ઘટનાએ ફરી સાબિત કર્યું છે કે આંતરરાષ્ટ્રીય મંચ પર નેતાઓના સોશિયલ મીડિયા નિવેદનો કેટલી મોટી અસર પાડી શકે છે. પાકિસ્તાન જે પોતાને જવાબદાર ખેલાડી તરીકે પ્રસ્થાપિત કરવા મથી રહ્યું છે, તે આ પ્રકારના વિવાદોને કારણે વિશ્વ મંચ પર એકલું પડી શકે છે. ઇઝરાયેલના વિરોધ બાદ લેવામાં આવેલું આ પગલું પાકિસ્તાનની મજબૂરી અને તેના પર રહેલા વૈશ્વિક આર્થિક-રાજકીય દબાણને છતું કરે છે.

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More