News Continuous Bureau | Mumbai
Elon Musk સ્પેસએક્સના સીઈઓ એલન મસ્કે કહ્યું છે કે તેમની પાર્ટનર શિવોન ઝિલિસ અડધી ભારતીય છે અને તેમણે પોતાના એક બાળકનું નામ નોબેલ પુરસ્કાર વિજેતા સુબ્રહ્મણ્યન ચંદ્રશેખરના નામ પરથી શેખર રાખ્યું છે. મસ્કે ઝીરોધાના કોફાઉન્ડર નિખિલ કામથના પોડકાસ્ટમાં આ વાત કહી છે. ઝિલિસ અને મસ્કના 4 બાળકો છે. ઝિલિસ મસ્કની એક કંપની ન્યૂરાલિંકમાં ‘ઓપરેશન્સ અને સ્પેશિયલ પ્રોજેક્ટ્સમાં’ ડિરેક્ટર છે.
મસ્કે શું કહ્યું?
મસ્કે ઝીરોધાના સહ-સ્થાપક નિખિલ કામથના કાર્યક્રમ ‘પીપલ બાય ડબલ્યુટીએફ’માં આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, “ઝિલિસથી મારો એક દીકરો છે, તેનું મધ્ય નામ ચંદ્રશેખરના નામ પરથી શેખર રાખવામાં આવ્યું છે.” એસ ચંદ્રશેખર એક પ્રસિદ્ધ ભારતીય-અમેરિકન ખગોળ ભૌતિક વિજ્ઞાની હતા, જેમને “તારાઓની સંરચના અને વિકાસ માટે મહત્વપૂર્ણ ભૌતિક પ્રક્રિયાઓ પર તેમના સૈદ્ધાંતિક અધ્યયનો” માટે 1983માં ભૌતિકશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યું હતું.
ઝિલિસ વિશે શું બોલ્યા મસ્ક?
એ પૂછવા પર કે શું ઝિલિસ ભારતમાં રહી છે, તેના પર મસ્કે કહ્યું કે જ્યારે તે નાની હતી ત્યારે જ તેને દત્તક લેવામાં આવી હતી અને તે કેનેડામાં ઉછરી છે. તેમણે કહ્યું, “મને લાગે છે કે તેમના પિતા યુનિવર્સિટીમાં ભણવા આવ્યા હતા, અથવા કંઈક એવું જ રહ્યું હશે. મને તેની પૂરી જાણકારી નથી. તેમને (ઝિલિસને) દત્તક લેવામાં આવ્યા છે.”
શિવોન ઝિલિસ વિશે જાણો
શિવોન ઝિલિસ લાંબા સમયથી ટેક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં કામ કરી રહી છે. તેમણે 2017માં ન્યૂરાલિંક જોઇન કર્યું અને હાલમાં કંપનીની ડાયરેક્ટર ઓફ ઓપરેશન્સ એન્ડ સ્પેશિયલ પ્રોજેક્ટ્સ છે. તેમણે યેલ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને આઇસ હોકી ટીમમાં ગોલ કીપર પણ રહી. આ પછી તેમણે આઇબીએમ અને બ્લૂમબર્ગમાં કામ કર્યું અને પછી વેન્ચર કેપિટલમાં પ્રવેશ કર્યો. 2016માં તેમણે એઆઈ પર ફોકસ કર્યું અને ઓપનએઆઈ સાથે જોડાઈ, જ્યાં તે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સૌથી યુવા સભ્ય બની.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Municipal Council Elections: મહારાષ્ટ્રની ૨૨ નગર પરિષદોની ચૂંટણી મોકૂફ, જાણો કયા કાયદાકીય કારણોસર ચૂંટણી ટાળવી પડી
મસ્કે ભારતીય પ્રોફેશનલ્સને વખાણ્યા
આ જ પોડકાસ્ટમાં મસ્કે અમેરિકામાં ભારતીય પ્રોફેશનલ્સની ભૂમિકાની ખૂબ પ્રશંસા કરી. તેમણે કહ્યું, ‘મારું માનવું છે કે અમેરિકાને પ્રતિભાશાળી ભારતીયોથી ઘણો ફાયદો થયો છે.’ એચ-1બી વિઝા વિશે વાત કરતાં તેમણે કહ્યું, ‘એ કહેવું યોગ્ય રહેશે કે એચ-1બી પ્રોગ્રામનો કંઈક દુરુપયોગ થયો છે. જોકે, તેમણે એ પણ કહ્યું કે, ‘મને નથી લાગતું કે આપણે એચ-1બી પ્રોગ્રામને બંધ કરી દેવો જોઈએ. મને લાગે છે કે આવું કરવું ખરેખર ખૂબ ખરાબ હશે.’
