Site icon

મેરા ભારત મહાન.. કંગાળ બનેલા શ્રીલંકા માટે તારણહાર બન્યા મોદી, મુશ્કેલીની સમયે કરી આ મદદ 

News Continuous Bureau | Mumbai

શ્રીલંકામાં ચાલી રહેલી આર્થિક અને રાજકીય કટોકટી વધુ ઘેરી બની રહી છે. આવી સ્થિતિમાં સરકારે આ બધાને પહોંચી વળવા માટે પોતાની યોજનાઓ બનાવવાનું શરૂ કરી દીધું છે. જોકે દેશમાં ઈંધણ અને દવાઓની અછત સર્જાઈ છે, જેના કારણે લોકો સતત વિરોધ કરી રહ્યા છે. આર્થિક સંકટને દૂર કરવામાં નિષ્ફળ ગયેલા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે પર જનતાનું રાજીનામું આપવાનું દબાણ વધી રહ્યું છે. જોકે શ્રીલંકાની સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાજપક્ષે કોઈપણ સંજોગોમાં તેમના પદ પરથી રાજીનામું આપવાના નથી.

Join Our WhatsApp Community

મુશ્કેલીની આ ઘડીમાં ભારત શ્રીલંકા સરકારની મદદ માટે આગળ આવ્યું છે. ભારતે કહ્યું છે કે તે નેબરહુડ ફર્સ્‌ટ પોલિસી હેઠળ શ્રીલંકાને સમર્થન આપવા માટે તૈયાર છે અને ત્યાંના વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યું છે. તે જ સમયે સેન્ટ્રલ બેંક ઓફ શ્રીલંકાના ગવર્નર અજીત નિવર્દ કરબલના દેશ છોડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. શ્રીલંકાની સરકારે અર્થવ્યવસ્થાને મુશ્કેલીમાં જોઇને એક સલાહકાર સમિતિની નિમણૂક કરી છે, જે દેશની વધતી જતી દેવાની કટોકટીને દૂર કરવામાં મદદ કરશે.  

આ સમાચાર પણ વાંચો : સેન્ટ્રલ રેલવેમાં રવિવારે પ્રવાસ કરવાનો છો? તો વાંચો આ સમાચાર. રેલવેએ રાખ્યો છે આટલા કલાકનો મેગા બ્લોક.

મીડિયા રિપોર્ટ્સ મુજબ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમારો (ભારત-શ્રીલંકા) સહયોગ સામાન્ય મુદ્દાઓ અને હિતો પર આધારિત છે અને તે તાજેતરના મહિનાઓમાં મજબૂત બન્યો છે. પાડોશી અને નજીકના મિત્ર તરીકે ભારત શ્રીલંકામાં વિકસતી આર્થિક સ્થિતિ અને અન્ય વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું કે શ્રીલંકાના લોકો દ્વારા સામનો કરવામાં આવી રહેલી કેટલીક આર્થિક મુશ્કેલીઓને દૂર કરવા માટે ભારતે છેલ્લા ત્રણ મહિનામાં પાડોશી દેશને ૨.૫ અબજ ડોલરની સહાય પૂરી પાડી છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે અનાજ અને ઈંધણની સાથે માર્ચના મધ્ય સુધી ૨,૭૦,૦૦૦ મેટ્રિક ટન ઈંધણ શ્રીલંકાને સપ્લાય કરવામાં આવ્યું હતું. 

Iran Nuclear Radiation Alert: ઈરાન પર પરમાણુ વાદળો ઘેરાયા! IAEA અને તેહરાન વચ્ચે સંપર્ક તૂટતા ખળભળાટ; રેડિયેશનના લીધે લાખો લોકો પર મોટું જોખમ’.
Global Conflict Escalates: હવે બચવું મુશ્કેલ! અમેરિકા અને બ્રિટન સહિતની પંચશક્તિનો ઈરાન પર કહેર; મિસાઈલ અડ્ડાઓ પર ગમે ત્યારે થઈ શકે છે મોટો હુમલો.
US F-15 Crash Kuwait 2026: અકસ્માત કે હુમલો? કુવૈતમાં અમેરિકાનું F-15 વિમાન આગના ગોળામાં ફેરવાયું; ઈરાનના દાવાથી પેન્ટાગોનમાં મચી હલચલ.
PM Modi Call to Netanyahu: શું ભારત રોકશે ઈઝરાયેલ-ઈરાન મહાયુદ્ધ? પીએમ મોદી અને નેતન્યાહુ વચ્ચે મહત્વની ચર્ચા; ખાડી દેશોમાં શાંતિ માટે ભારતનો માસ્ટરપ્લાન..
Exit mobile version