India Pakistan Dispute: UNSCમાં પાકિસ્તાને ફરી આલાપ્યો કાશ્મીર રાગ, ભારતે આ જવાબ આપી કરી દીધી બોલતી બંધ..

India Pakistan Dispute: ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પાકિસ્તાને ફરી એકવાર યુએનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, જેના પર ભારતે પાકિસ્તાનને ફટકાર લગાવી છે.

by Hiral Meria
India Pakistan Dispute: India Rejects Pakistan's Kashmir Reference At UN Security Council Meeting On Israel-Gaza

News Continuous Bureau | Mumbai 

India Pakistan Dispute: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કાશ્મીરનો ( Kashmir ) મુદ્દો ઉઠાવીને પાકિસ્તાને ( Pakistan ) ફરી એકવાર પોતાનું અપમાન કર્યું છે. વાસ્તવમાં, ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ ( Israel Palestine War ) વચ્ચે પાકિસ્તાને યુએનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, જેના પર ભારતે ( india ) પાકિસ્તાનની બોલતી બંધ કરી દીધી.

યુએનમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ મુનીર અકરમે ( Munir Akram ) કહ્યું કે, હાલમાં કાશ્મીરના લોકોની હાલત પેલેસ્ટાઈનીઓ જેવી જ છે. જે રીતે ઈઝરાયેલ પેલેસ્ટાઈનમાં લોકોની આઝાદીને દબાવી રહ્યું છે, એ જ રીતે ભારત પણ કાશ્મીરમાં કાશ્મીરીઓનો અવાજ સાંભળવાનો ઈન્કાર કરી રહ્યું છે.

પાકિસ્તાનના રાજદૂતએ ( Pakistan Ambassador ) ઉઠાવ્યો કાશ્મીરનો મુદ્દો

ભારત તરફથી હાજર આર રવિન્દ્ર આના પર ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું, ‘એક પ્રતિનિધિએ આદતથી કેન્દ્રશાસિત પ્રદેશોનો ( Union Territories ) ઉલ્લેખ કર્યો જે આપણા દેશનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે.’ તેમણે કહ્યું, ‘હું આ ટિપ્પણીઓને એટલું જ મહત્વ આપીશ જેટલુ તેમને મળવું જોઈએ અને સમયના હિતમાં તેનો જવાબ નહીં આપીશ.’

અમેરિકાએ મુંબઈનો પણ ઉલ્લેખ કર્યો

આ પહેલા અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને સુરક્ષા પરિષદની બેઠકમાં કહ્યું હતું કે તમામ પ્રકારના આતંકવાદી કૃત્યો ગેરકાયદેસર અને ગેરવાજબી છે, પછી ભલે તે મુંબઈમાં લોકોને નિશાન બનાવતા લશ્કર-એ-તૈયબા દ્વારા કરવામાં આવે કે કિબુત્ઝ બેરીમાં હમાસે લોકોને નિશાન બનાવ્યા હોય.

આ સમાચાર પણ વાંચો :  India with Bharat: India નહીં પણ ભારત, NCERT પુસ્તકોમાં બદલાશે દેશનું નામ, મળી ગઈ છે મંજૂરી- અહેવાલ..

હમાસ અને ઇઝરાયલ વચ્ચે 7 ઓક્ટોબરથી શરૂ થયેલા યુદ્ધમાં 5 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

તેમણે કહ્યું કે, આ કાઉન્સિલ અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વારંવાર કહ્યું છે કે, આતંકવાદના તમામ કૃત્યો ગેરકાનૂની અને ગેરવાજબી છે. પછી ભલેને નૈરોબી કે બાલીમાં લોકોને નિશાન બનાવવામાં આવે… પછી ભલે આ હુમલા ઈસ્તાંબુલ, મુંબઈ, ન્યૂયોર્ક કે કિબુટ્ઝ બેરીમાં થયા હોય. તેમણે કહ્યું કે આ ગેરકાયદેસર અને ગેરવાજબી છે, પછી ભલે તે ISIS અથવા બોકો હરામ, અલ શબાબ, લશ્કર-એ-તૈયબા અથવા હમાસ દ્વારા કરવામાં આવ્યા હોય.

નોંધનીય છે કે એક મહિના પહેલા પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અનવારુલ હક કાકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણ દરમિયાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યારે પણ ભારતે પાકિસ્તાનને ફટકાર લગાવી હતી. ત્યારે ભારતે જોરદાર હુમલો કરતા કહ્યું હતું કે પાકિસ્તાનના કબજા હેઠળના ભારતીય વિસ્તારો ખાલી કરાવવા જોઈએ અને સીમાપારથી થતા આતંકવાદને રોકવો જોઈએ. એવો પણ આરોપ છે કે પાકિસ્તાન સૌથી વધુ સંખ્યામાં આતંકવાદીઓને આશ્રય આપે છે. અત્યાર સુધી આ દેશે 26/11ના આતંકવાદીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નથી.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More