India-Pakistan : ભારતથી પાકિસ્તાન પહોંચ્યો જૂના ઘરનો દરવાજો, જોઈને ભાવુક થઇ ગયા પ્રોફેસર; જુઓ વિડીયો..

India-Pakistan : ભારત અને પાકિસ્તાન 77 વર્ષ પહેલા અલગ થયા હોવા છતાં કેટલાક લોકોના મનમાંથી આ ભાગલાના ઘા હજુ પણ રૂઝાયા નથી. પાકિસ્તાનના લાહોરથી એક એવા સમાચાર આવ્યા છે જે દરેકના દિલને સ્પર્શી ગયા છે, જ્યાં ભારતમાંથી એક પ્રોફેસરને તેના મિત્ર દ્વારા ભેટ મોકલવામાં આવી છે. આ ભેટ જોઈને પ્રોફેસરની આંખોમાં આંસુ આવી ગયા. તેના મિત્રએ ભેટ તરીકે તેના ઘરનો દરવાજો મોકલ્યો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

by kalpana Verat
India-Pakistan Vlogger shares heartwarming video of Pakistani man’s reunion with ancestral home door from India

News Continuous Bureau | Mumbai 

India-Pakistan : 1947માં ભારત ( India ) નું વિભાજન થયું ત્યારે લોકોનું બધું જ લૂંટાઈ ગયું. ભારતમાં રહેતા ઘણા લોકોએ પાકિસ્તાન ( Pakistan ) માં પોતાનું ઘર છોડી દીધું અને જે લોકો પાકિસ્તાન ગયા તેઓ ભારતમાં પોતાનું ઘર છોડી ગયા. આવું જ કંઈક લાહોરના રહેવાસી પ્રોફેસર અમીન ચૌહાણ સાથે થયું. તેમનું જૂનું ઘર ભારતમાં છે. જ્યારે ભૂતકાળનો એક અંશ તેની પાસે પહોંચ્યો ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમના ઘરનો દરવાજો મુંબઈ ( Mumbai ) થી લાહોર મોકલવામાં આવ્યો છે.

ભારતમાં રહેતા તેમના મિત્રએ  ભેટ તરીકે મોકલ્યો દરવાજો 

મીડિયા રિપોર્ટ અનુસાર, દરવાજાને સૌથી પહેલા પંજાબના બટાલાથી મુંબઈ લાવવામાં આવ્યો હતો. અહીંથી તેની યાત્રા શરૂ થઇ અને દુબઈ, કરાચી થઈને લાહોર પહોંચ્યો. અમીન ચૌહાણને આ દરવાજો  ભારતમાં રહેતા તેમના મિત્ર પલવિંદર સિંહે ભેટ તરીકે મોકલ્યો હતો. તેમના માટે તે માત્ર એક દરવાજો નથી પણ યાદો અને ઈતિહાસ છે. અમીન ચૌહાણના પિતાનું ઘર બટાલાના ઘોમાન પિંડમાં હતું. જ્યારે તેઓ દરવાજા પાસે પહોંચ્યા તો કોઈએ તેનો વીડિયો બનાવ્યો. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે .

જુઓ વિડીયો 

જ્યારે તેમણે પેકિંગ કાઢીને દરવાજો જોયો તો તેમની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. તેમનો આ વિડિયો ભાગલાને કારણે થયેલા ઘાવની યાદ અપાવે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર સાદ જાહિદ નામના યુઝરે શેર કર્યો છે.

વીડિયોનું કેપ્શન

વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘આ હૃદયસ્પર્શી વીડિયોમાં જોવા મળે છે, એચિસન કોલેજ જુનિયર સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ પ્રોફેસર અમીન ચૌહાણ જ્યારે ભારત તરફથી તેમના મિત્ર પલવિંદર સિંઘ તરફથી ખાસ ભેટ મેળવે છે ત્યારે તેઓ ભાવુક થઈ જાય છે. ભેટ શું છે? બટાલાના ઘોમાન પિંડમાં પ્રોફેસરના પિતાના ઘરનો આ જૂનો દરવાજો છે. યાદો અને ઈતિહાસથી ભરેલો આ દરવાજાએ  બટાલાથી મુંબઈ, પછી દુબઈ, કરાચી અને છેલ્લે લાહોર સુધી લાંબો અંતર કાપ્યું છે. જ્યાં અમીન રહેતો હતો.

કેપ્શનમાં આગળ લખ્યું છે કે, પ્રોફેસર આ જૂના દરવાજાને જોતાની સાથે જ પોતાના આંસુ રોકી શક્યા નથી. આ દરવાજાના અર્થ અને તેની સાથે જોડાયેલી યાદોથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. ‘ભલે 1947ના ભાગલાએ જમીનનું વિભાજન કર્યું હોય, તે પંજાબીઓના હૃદયને અલગ કરી શક્યું નથી, જેઓ સહિયારા વારસા અને મિત્રતા દ્વારા જોડાયેલા રહે છે.’

લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. તેઓ તેને લાઈક અને શેર કરી રહ્યા છે. પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક યુઝરે કહ્યું, ‘તેમના માટે કેટલી ભાવનાત્મક ક્ષણ છે. માનવ આત્મા દરેક વસ્તુ પર વિજય મેળવે છે. અન્ય એક યુઝરે લખ્યું, ‘માનવતા, મિત્રતા અને પ્રેમ શ્રેષ્ઠ છે. અદ્ભુત લાગણી.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More