Operation Sindoor: પાકિસ્તાનના નાયબ વડાપ્રધાને ખોલી ટ્રમ્પની પોલ, ઓપરેશન સિંદૂર ને લઈને કર્યો મોટો ખુલાસો

પાકિસ્તાનના ઉપ-વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડારે ઓપરેશન સિંદૂર અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે ભારત-પાકિસ્તાન તણાવ દરમિયાન ભારતે અમેરિકા તરફથી આવેલા મધ્યસ્થીના પ્રસ્તાવને માનવાનો ઇનકાર કરી દીધો હતો.

by Dr. Mayur Parikh
Operation Sindoor પાકિસ્તાનના નાયબ વડાપ્રધાને ખોલી ટ્રમ્પની પોલ

News Continuous Bureau | Mumbai
Operation Sindoor પાકિસ્તાનના ઉપ-વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડારે ઓપરેશન સિંદૂર અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન સાથેના તણાવ દરમિયાન ભારતે અમેરિકા તરફથી મધ્યસ્થીના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. ડારના આ દાવાથી ફરી એકવાર સાબિત થઈ ગયું છે કે ભારતે કોઈ ત્રીજા પક્ષના દખલને કારણે પાકિસ્તાન સાથે યુદ્ધવિરામનો નિર્ણય લીધો ન હતો. પાકિસ્તાની વિદેશ મંત્રીનું આ નિવેદન ઓપરેશન સિંદૂર સમાપ્ત થયાના લગભગ ચાર મહિના પછી આવ્યું છે.

ભારતને ત્રીજા પક્ષની મધ્યસ્થી મંજૂર ન હતી

તાજેતર માં એક ઇન્ટરવ્યુમાં ઇશાક ડારને જ્યારે પૂછવામાં આવ્યું કે શું પાકિસ્તાન વિવાદ ઉકેલવા માટે ત્રીજા પક્ષને સામેલ કરવા તૈયાર હતું? તેના જવાબમાં તેમણે કહ્યું કે હા, અમે આ માટે તૈયાર હતા. પરંતુ ભારતે તેને ક્યારેય મંજૂર કર્યું નહીં. તેમણે ભારતના વલણ વિશે વાત કરતા કહ્યું કે ભારત ક્યારેય વિવાદ ઉકેલવા માટે ત્રીજા પક્ષને સામેલ કરવાના પક્ષમાં ન હતું. તેણે હંમેશા આને દ્વિપક્ષીય મુદ્દો ગણાવ્યો.

ટ્રમ્પનો દાવો ખોટો સાબિત થયો

પાકિસ્તાનના વિદેશ મંત્રીનું આ નિવેદન ઘણા પાસાઓમાં મહત્વપૂર્ણ છે. 10 મેના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની માહિતી આપી હતી અને ત્યારથી અત્યાર સુધી તેઓ 30 થી વધુ વખત તેનો શ્રેય લઈ ચૂક્યા છે. જોકે, ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ યુદ્ધવિરામ પરસ્પર વાતચીતનું પરિણામ છે અને તેમાં કોઈ ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા નથી. હવે પાકિસ્તાની વિદેશ મંત્રીના આ નિવેદનથી ભારતની વાત ફરી એકવાર સાચી સાબિત થઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : India-US Trade: ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર થઇ આટલા કલાકની ચર્ચા, ટ્રમ્પના ટેરિફ પર ક્યાં સુધી વાત પહોંચી? મંત્રાલયે આપ્યું અપડેટ

પાકિસ્તાન વાતચીત માટે તૈયાર

ડારે આગળ કહ્યું કે તેમણે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોને પૂછ્યું હતું કે શું અમેરિકા ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા વિવાદને ઉકેલવામાં કોઈ ભૂમિકા ભજવી રહ્યું છે. જેના પર રુબિયોએ જવાબ આપ્યો કે ભારતનું સ્પષ્ટ વલણ છે કે આ મામલો સંપૂર્ણપણે દ્વિપક્ષીય છે. ડારે આગળ કહ્યું કે પાકિસ્તાન આ વિવાદને ઉકેલવા માટે કોઈની પણ સાથે વાતચીત કરવા તૈયાર છે અને અમારું માનવું છે કે સંવાદ જ ઉકેલનો માર્ગ છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More