Site icon News Continuous Bureau | Mumbai

India Afghanistan: ભારતની ‘વાપસી’: લાંબા વિરામ બાદ કાબુલમાં ફરી ખુલશે ભારતીય દૂતાવાસ, જાણો તાલિબાન મુદ્દે શું છે મોટો નિર્ણય?

વિદેશ મંત્રી એસ. જયશંકરે અફઘાનિસ્તાનના મંત્રી અમીર ખાન મુત્તાકી સાથેની મુલાકાતમાં કરી જાહેરાત; વિકાસ કાર્યો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા.

https://www.newscontinuous.com/international/before-the-announcement-of-the-nobel-peace-prize-russia-made-a-big-announcement-saying-we-will-support-trump/amp

https://www.newscontinuous.com/international/before-the-announcement-of-the-nobel-peace-prize-russia-made-a-big-announcement-saying-we-will-support-trump/amp

News Continuous Bureau | Mumbai

India Afghanistan ભારતે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં દૂતાવાસ ખોલવાની સત્તાવાર જાહેરાત કરી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી સાથેની મુલાકાત દરમિયાન આ જાહેરાત કરી હતી. ૨૦૨૧ પછી પહેલીવાર ભારતે અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.

Join Our WhatsApp Channel

કાબુલમાં ફરી દૂતાવાસ ખોલવાની ભારતની જાહેરાત

જયશંકરે મુત્તાકી સાથેની બેઠકમાં કહ્યું કે, “ભારતે હંમેશા અફઘાનિસ્તાનને સમર્થન આપ્યું છે. અફઘાનિસ્તાન અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.” તેમણે જણાવ્યું કે અફઘાનિસ્તાને તાજેતરમાં આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સમર્થન આપ્યું હતું અને પહલગામ હુમલાની નિંદા પણ કરી હતી. હાલમાં, માત્ર રશિયા અને પાકિસ્તાન જેવા દેશોના જ અફઘાનિસ્તાનમાં દૂતાવાસ છે. ભારતનું કાબુલમાં ઉચ્ચાયુક્તાલય છે, જે હવે દૂતાવાસમાં રૂપાંતરિત થશે.

માનવતાવાદી સહાય અને પ્રોજેક્ટ્સ ફરી શરૂ થશે

જયશંકરે વધુમાં કહ્યું કે, ભારત અફઘાનિસ્તાનમાં વિકાસ અને માનવતાવાદી મદદનું કામ ચાલુ રાખશે. આ ઉપરાંત, ભારતે અફઘાનિસ્તાનમાં જાહેર કરાયેલા તમામ પ્રોજેક્ટ્સ ફરી શરૂ કરવા માટે તૈયારી દર્શાવી છે. ભારતે અફઘાનિસ્તાનને ૨૦ એમ્બ્યુલન્સ આપવાની પણ જાહેરાત કરી છે.

આ સમાચાર પણ વાંચો :Nobel Peace Prize: નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત પહેલાં મોટો ધમાકો: રશિયાએ ટ્રમ્પ ના નામાંકનને લઈને કહી આવી વાત

મુત્તાકીએ સરહદ પારના આતંકવાદ પર આપ્યું આશ્વાસન

વિદેશ મંત્રી મુત્તાકી નવી દિલ્હીની મુલાકાત લેનારા તાલિબાન શાસનના પ્રથમ વિદેશ મંત્રી છે. તેમણે જયશંકર સાથેની મુલાકાતમાં જણાવ્યું કે ભારત હંમેશા અફઘાનિસ્તાનના લોકોની સાથે ઊભું રહ્યું છે અને તેઓ અફઘાન ભૂમિ પરથી ભારત વિરુદ્ધ કોઈ પણ પ્રકારના ષડયંત્રો થવા દેશે નહીં. આ બેઠકમાં બંને દેશોએ સરહદ પારના આતંકવાદ પર પણ ચર્ચા કરી.

 

Nepal Floods ભયાનક તારાજી નેપાળમાં પૂરથી મરણાંક વધીને ૩૩૨ પર પહોંચ્યો, ૨૮૮ ભારતીયો સંપર્ક વિહોણા
Nepal Heavy Devastation ચીનની મોટી ચેતવણીથી હડકંપ નેપાળમાં વિનાશક પૂર વચ્ચે આગામી ૩ દિવસ અત્યંત જોખમી
Isha Foundation Devotees Tibet Flood મોટી મુશ્કેલી તિબેટમાં પૂરના પાણી વચ્ચે ફસાયા ઈશા ફાઉન્ડેશનના ૮૦ સાધકો, સદગુરુની ચીન સરકારને અપીલ
Nepal Glacier Collapse નેપાળમાં લાંગટાંગ લિરુંગ પર્વત પરથી વિશાળ ગ્લેશિયર તૂટી પડ્યો, સેંકડોના મોત
Exit mobile version