India Slams Pakistan UN| UN માં પાકિસ્તાનની ફરી આંતરરાષ્ટ્રીય બેઇજ્જતી! ભારતે કાશ્મીર મુદ્દે આપ્યો એવો જડબાતોડ જવાબ કે પાક. પ્રતિનિધિ મોં છુપાવતા ફર્યા

India Slams Pakistan UN| સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના સત્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશની પાકિસ્તાનને બેટૂક ચેતવણી; જમ્મુકાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો અને હંમેશા રહેશે.

by kalpana Verat
India Slams Pakistan UN|  UN માં પાકિસ્તાનની ફરી આંતરરાષ્ટ્રીય બેઇજ્જતી! ભારતે કાશ્મીર મુદ્દે આપ્યો એવો જડબાતોડ જવાબ કે પાક. પ્રતિનિધિ મોં છુપાવતા ફર્યા

 

News Continuous Bureau | Mumbai

India Slams Pakistan UN| સંયુક્ત રાષ્ટ્ર (UN) ના વૈશ્વિક મંચ પરથી ભારતે એકવાર ફરી પાકિસ્તાનને તેની અસલી હેસિયત યાદ અપાવી દીધી છે. જમ્મુકાશ્મીર મુદ્દે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી બિનજરૂરી ટિપ્પણીઓ પર ભારતે આકરો વાંધો ઉઠાવીને તેને ‘જૂઠો નેરેટિવ’ ગણાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના સત્ર દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે તે ભારત વિરૂદ્ધ જૂઠા અને પક્ષપાતી એજન્ડા ચલાવવાનું તાત્કાલિક બંધ કરે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સુરક્ષા પરિષદના વાર્ષિક અહેવાલ પર ચર્ચા દરમિયાન પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ અસીમ ઇફ્તિખાર અહેમદે ફરીથી કાશ્મીર રાગ આલાપવાનું શરૂ કર્યું હતું, જેના પર ભારતે પાકિસ્તાનની પોલ સરેઆમ ખોલી નાખી હતી.

‘પોકળ નિવેદનબાજીથી જમીની હકીકત નહીં બદલાય’, કાશ્મીર ભારતનો આંતરિક વિષય છે

ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે વૈશ્વિક મંચ પર સાફ શબ્દોમાં દોહરાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલા તમામ મામલાઓ સંપૂર્ણપણે ભારતનો આંતરિક વિષય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આ કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો અભિન્ન અને અખંડ ભાગ છે અને હંમેશા રહેશે. તેની વિરૂદ્ધ કરવામાં આવતો કોઈપણ દાવો સંપૂર્ણપણે નિરાધાર અને ઐતિહાસિક તથ્યોથી પરે છે. પાકિસ્તાન ગમે તેટલી પોકળ નિવેદનબાજી કરી લે અથવા જૂઠા દાવાઓ ઠોકી લે, પરંતુ તે જમીની હકીકતને ક્યારેય બદલી શકશે નહીં. તેમણે પાકિસ્તાનને યાદ અપાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના (UNSC) સભ્ય હોવાના નાતે તેના પર એક મોટી જવાબદારી છે, પરંતુ તે પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું.

વૈશ્વિક શાંતિ માટે બનેલા પ્રતિષ્ઠિત મંચનો પાકિસ્તાન કરી રહ્યું છે દુરુપયોગ

ભારતે આ બાબતે વૈશ્વિક સ્તરે ઊંડી ચિંતા અને નારાજગી વ્યક્ત કરી છે કે પાકિસ્તાન આ પ્રતિષ્ઠિત મંચનો સતત રાજકીય દુરુપયોગ કરી રહ્યું છે. પી. હરીશે જણાવ્યું કે પાકિસ્તાને પોતાના સંકુચિત અને વિભાજનકારી રાજકીય હિતોને સાધવા માટે સંયુક્ત રાષ્ટ્રની ગરિમાને પણ ઠેસ પહોંચાડી છે. નોંધનીય છે કે, સુરક્ષા પરિષદમાં અસ્થાયી સભ્ય તરીકે પાકિસ્તાનનો ૨ વર્ષનો કાર્યકાળ આ જ વર્ષે (૨૦૨૬ માં) સમાપ્ત થઈ રહ્યો છે, જેના લીધે તે વૈશ્વિક ધ્યાન આકર્ષિત કરવા માટે આવા હવાતિયાં મારી રહ્યું છે.

ભારતના વિદેશ મંત્રાલયે નોંધાવ્યો કડક વિરોધ

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને અરીસો બતાવવાની સાથે જ ભારતે અન્ય એક મોરચે પણ ઇસ્લામાબાદને આકરા હાથે લીધું છે. ભારતના વિદેશ મંત્રાલયે (MEA) ગિલગિત-બાલ્ટિસ્તાનમાં તથાકથિત વિધાનસભા માટે આગામી ૭ જૂનના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીઓની યોજના પર પાકિસ્તાન સરકાર સમક્ષ અત્યંત કડક વિરોધ નોંધાવ્યો છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ આખો વિસ્તાર ભૌગોલિક અને કાનૂની રીતે ભારતનો જ ભાગ છે, જેના પર પાકિસ્તાને ગેરકાયદેસર અને જબરન કબજો જમાવી રાખ્યો છે. વિદેશ મંત્રાલયે પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે પાકિસ્તાન આવા ચૂંટણીના ઢોંગ રચીને ત્યાંની જમીની સમસ્યાઓ અને માનવાધિકારોના ગંભીર ઉલ્લંઘનને છુપાવી શકશે નહીં. પીઓકે (PoK) ના આ વિસ્તારોમાં ચાલી રહેલું રાજકીય દમન, આર્થિક શોષણ અને લોકોની આઝાદી છીનવી લેવાની હકીકત હવે દુનિયા સામે આવી ચૂકી છે.

👉 આ સમાચાર વાચો:
NEET Paper Leak Protest|કૉકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દીપક દિલ્હી પહોંચ્યા, આપ્યું મોટું નિવેદન

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More