S-400 Air Defense: ભારતની આકાશ રક્ષા મજબૂત થશે, રશિયા પાસેથી S-400 અને Su-57 પર મોટો નિર્ણય.

ઓપરેશન સિંદૂર'માં S-400ના શાનદાર પ્રદર્શન બાદ ભારત તેની હવાઈ સુરક્ષા ક્ષમતાઓને મજબૂત કરવા માગે છે; Su-30MKI વિમાનોનું પણ મોટું અપગ્રેડ થશે.

by aryan sawant
S-400 Air Defense ભારતની આકાશ રક્ષા મજબૂત થશે, રશિયા પાસે

News Continuous Bureau | Mumbai

S-400 Air Defense વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે 5 ડિસેમ્બરના રોજ એક મહત્ત્વપૂર્ણ દ્વિપક્ષીય સંમેલન યોજાવાનું છે. આ બેઠકમાં ભારત પોતાની હવાઈ સુરક્ષા ક્ષમતાઓને વધુ મજબૂત કરવા માટે પાંચ વધારાની S-400 ટ્રાયમ્ફ એર ડિફેન્સ સિસ્ટમ સ્કવોડ્રનની માંગણી કરી શકે છે.તાજેતરમાં ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન આ સિસ્ટમ દ્વારા પાકિસ્તાની મિસાઈલો, ડ્રોન અને વિમાનોને સફળતાપૂર્વક નષ્ટ કરવામાં આવ્યા બાદ ભારતે આ પગલું ભર્યું છે. S-400 ટ્રાયમ્ફ એર ડિફેન્સ સ્કવોડ્રન ઉપરાંત, પહેલાથી જ સામેલ સ્કવોડ્રન માટે મોટી સંખ્યામાં મિસાઈલોની ખરીદી પણ આ વાટાઘાટોનો મુખ્ય ભાગ હશે.

Su-57 વિરુદ્ધ F-35: નિર્ણય અધ્ધરતાલ

રશિયા ભારતને તેના પાંચમી પેઢીના લડાકૂ વિમાન Sukhoi-57 ના બેથી ત્રણ સ્કવોડ્રન વેચવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ અમેરિકા F-35 લાઇટનિંગ-II ને એક વિકલ્પ તરીકે રજૂ કરી રહ્યું છે. જોકે, ભારતે હજી સુધી કોઈ પણ વિમાન પર અંતિમ નિર્ણય લીધો નથી.સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્વદેશી AMCA પ્રોજેક્ટ 2035ની આસપાસ તૈયાર ન થાય ત્યાં સુધી ભારતીય વાયુસેના માટે બે-ત્રણ સ્કવોડ્રન પાંચમી પેઢીના લડાકૂ વિમાનોનું સંપાદન એક ઉપયોગી વચગાળાનો ઉકેલ બની શકે છે.

84 Sukhoi-30MKI વિમાનોનું મોટું અપગ્રેડ

કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) ટૂંક સમયમાં જ 63,000 કરોડના ખર્ચે પહેલા બેચના 84 Sukhoi-30MKI વિમાનોના અપગ્રેડને મંજૂરી આપશે. આ ભારતીય વાયુસેનાની કરોડરજ્જુ ગણાતા રશિયન મૂળના વિમાનોને આગામી 30 વર્ષો સુધી એર કોમ્બેટ માટે સક્ષમ બનાવી રાખવા માટેનું મોટું પગલું છે.
અપગ્રેડમાં આ બાબતોનો સમાવેશ થશે:
આધુનિક AESA રડાર
એડવાન્સ એવિયોનિક્સ
લાંબા અંતરના હથિયારો
મલ્ટી-સેન્સર ફ્યુઝન ટેકનોલોજી
અપગ્રેડ સ્થાનિક સ્તરે કરવામાં આવશે, પરંતુ રશિયાની પણ તેમાં સીમિત ભૂમિકા હશે.

આ સમાચાર પણ વાંચો : Panchak 2025: પંચક ૨૦૨૫ શરૂ, આગામી પાંચ દિવસ કયા કાર્યો વર્જિત છે? જાણો નિયમો અને અશુભ પ્રભાવથી બચવાના ઉપાયો.

‘ઓપરેશન સિંદૂરમાં’ S-400 ‘ગેમચેન્જર’ સાબિત થયું

રશિયાએ ખાતરી આપી છે કે 2018માં થયેલા 5.4 અબજ ડોલરના S-400 સોદાના અંતિમ બે સ્કવોડ્રન નવેમ્બર 2026 સુધીમાં ભારતને સોંપી દેવામાં આવશે. યુક્રેન યુદ્ધના કારણે તેમાં વિલંબ થયો હતો.ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ તાજેતરમાં જણાવ્યું હતું કે S-400 સિસ્ટમે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન 314 કિમીના અંતરે એટલે કે અત્યાર સુધીની સૌથી લાંબી હવાઈ માર કરીને ઓછામાં ઓછા પાંચ પાકિસ્તાની લડાકૂ વિમાનોને તોડી પાડ્યા હતા, જેમાં F-16 અને JF-17 શ્રેણીના વિમાનોનો સમાવેશ થાય છે. તેમણે S-400ને ઓપરેશનનો ‘ગેમચેન્જર’ ગણાવ્યો હતો.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More