Site icon News Continuous Bureau | Mumbai

Indian Fishermen Fire : આ પાડોશી દેશના નૌકાદળે દરિયામાં ગોળીબાર કર્યો, 5 ભારતીય માછીમારો થયા ઘાયલ; એક્શનમાં વિદેશ મંત્રાલય

Indian Fishermen Fire : ડેલ્ફ્ટ ટાપુ નજીક શ્રીલંકાના નૌકાદળ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં પાંચ માછીમારો ઘાયલ થયા હતા. પાંચમાંથી બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. શ્રીલંકાના નૌકાદળ દ્વારા કરવામાં આવેલા ગોળીબાર પર ભારતે કડક પ્રતિક્રિયા આપી છે અને ટાપુના ઉચ્ચાયુક્તને સમન્સ પાઠવ્યા છે.

Rameshwaram Fisherman Arrest India lodges ‘strong protest’ over Sri Lankan Navy firing at Indian fishermen

Rameshwaram Fisherman Arrest India lodges ‘strong protest’ over Sri Lankan Navy firing at Indian fishermen

News Continuous Bureau | Mumbai

Indian Fishermen Fire : શ્રીલંકાના નૌકાદળે ભારત-શ્રીલંકા દરિયાઈ સરહદ પર ગોળીબાર કર્યો. આ ગોળીબારમાં પાંચ ભારતીય માછીમારો ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ ઉપરાંત ત્રણ લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે. આ ઘટના મંગળવારે સવારે ડેલ્ફ્ટ આઇલેન્ડ નજીક બની હતી.

Join Our WhatsApp Channel

Indian Fishermen Fire :ભારતીય વિદેશ મંત્રાલયે કર્યો સખત વિરોધ 

ભારતીય વિદેશ મંત્રાલયે આ બાબતનો સખત વિરોધ કર્યો છે. આ કાર્યવાહી સામે ઔપચારિક વિરોધ શ્રીલંકાના કાર્યકારી ઉચ્ચાયુક્ત સમક્ષ નોંધાવવામાં આવ્યો છે. મંગળવારે વહેલી સવારે ડેલ્ફ્ટ ટાપુના કરાઈકલ બંદરથી માછીમારી કરવા ગયેલા 13 ભારતીય માછીમારોને શ્રીલંકાના નૌકાદળ દ્વારા દરિયાઈ સીમા પાર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, એમ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું અને આ કાર્યવાહીને “અયોગ્ય અને અસ્વીકાર્ય” ગણાવી હતી. . આ સમય દરમિયાન, શ્રીલંકન નૌકાદળ દ્વારા ગોળીબારની ઘટના વિશે માહિતી મળી હતી.

Indian Fishermen Fire : બોટ સાથે13 માછીમારોની ધરપકડ કરવામાં આવી 

જારી કરાયેલા નિવેદન મુજબ, માછીમારોનું એક જૂથ પરુથી થુરાઈ નજીક માછીમારી કરી રહ્યું હતું. આ સમય દરમિયાન શ્રીલંકન નૌકાદળની પેટ્રોલ બોટે તેને ઘેરી લીધો. તેમણે માછીમારો પર શ્રીલંકાના પાણીમાં પ્રવેશવાનો આરોપ લગાવ્યો. એક બોટ સાથે 13 માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે માછીમારોએ બોટને તમિલનાડુ તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો, ત્યારે શ્રીલંકાના નૌકાદળે ગોળીબાર કર્યો. ગોળીબાર દરમિયાન શ્રીલંકાના નૌકાદળના એક અધિકારી પણ બોટમાં સવાર હતા. એક માછીમારને પગમાં ગોળી વાગી હતી, જ્યારે બીજા એક માછીમારને કોઈ વસ્તુથી વાગવાથી ઈજા થઈ હતી. ધરપકડ કરાયેલા માછીમારોને કાંગેસંથુરાઈ પોલીસને સોંપવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  DeepSeek AI : ડ્રેગનના આ AI મોડલથી અમેરિકામાં ખળભળાટ, બીજાને ટેંશન આપનાર ટ્રમ્પ પરેશાન.. આઇટી કંપનીઓને આપી દીધા આદેશ

વિદેશ મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, માછીમારી બોટમાં સવાર 13 માછીમારોમાંથી બેને ગંભીર ઈજાઓ થઈ છે અને તેઓ હાલમાં જાફના ટીચિંગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેના સહેજ ઘાયલ માછીમારોને બીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. દરમિયાન, જાફનામાં ભારતીય કોન્સ્યુલેટના અધિકારીઓએ ઘાયલ માછીમારોને મળ્યા અને તેમને શક્ય તમામ મદદની ખાતરી આપી.

 

Global Weather Alert પ્રશાંત મહાસાગરમાં બની રહ્યો છે શક્તિશાળી ‘અલ નીનો’; નાસાના સેટેલાઈટ ડેટાથી વૈજ્ઞાનિકોની ચિંતા વધી
MEA Update હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર સામાન્ય; આટલા જહાજોએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સફળતાપૂર્વક પાર કર્યું
USIran Peace Initiative મિડલ ઈસ્ટમાં શાંતિના પ્રયાસો અમેરિકાએ ઈરાન પરના પ્રતિબંધોમાં ૬૦ દિવસની આપી રાહત, છતાં પરમાણુ મુદ્દે મડાગાંઠ યથાવત
BarrierFree Toll System હાઈવે પર હવે ગાડી નહીં અટકે! ભારતમાં દેશની પ્રથમ ‘બેરિયરફ્રી’ ટોલ સિસ્ટમનો હરિયાણામાં ટ્રાયલ શરૂ
Exit mobile version