વધુ એક વિદેશી કંપની પર ‘ભારતીયનું રાજ’ આ ઈન્ટરનેશનલ ફેશન બ્રાન્ડની સીઈઓ બની ભારતની લીના નાયર

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 16 ડિસેમ્બર 2021

ગુરુવાર

લીના મૂળ મહારાષ્ટ્રના કોલ્હાપુરની છે. તેણે કોલ્હાપુરની હોલી ક્રોસ કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો. તેણે વાલચંદ કોલેજ ઑફ એન્જિનિયરિંગ, સાંગલી (મહારાષ્ટ્ર)માં ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગનો અભ્યાસ પણ કર્યો. લીના કોલકાતા, અંબત્તુર, તમિલનાડુ અને તલોજા, મહારાષ્ટ્રમાં ત્રણ અલગ-અલગ ફેક્ટરીમાં કામ કરી ચૂક્યા છે.૫૨ વર્ષના નાયર યુનિલિવરની સેન્ટ ઝેવિયર્સ કોલેજ ઓફ મેનેજમેન્ટમાંથી સ્નાતક થયા અને ૧૯૯૨માં યુનિલિવર ઇન્ડિયામાં જાેડાયા. જૂન ૨૦૦૭માં નાયર હિન્દુસ્તાન યુનિલિવરના સૌથી યુવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બન્યા અને ૯૦ વર્ષમાં પ્રથમ વખત હિન્દુસ્તાન યુનિલિવર એચઆર હેડ તરીકે નિયુક્ત થનાર પ્રથમ મહિલા બન્યા. એક વર્ષ પછી યુનિલિવર સાઉથ એશિયા લીડરશીપ ટીમમાં તેણીની પ્રથમ મહિલા તરીકે નિમણૂક કરવામાં આવી. તેમની પાસે ભારત ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેપાળ જેવા દેશોની જવાબદારી હતી.ફ્રાન્સીસી લક્ઝરી ગ્રૂપ શનૈલે ભારતની અને મૂળ મહારાષ્ટ્રની વતની એવા લીના નાયરને કંપનીના નવા ય્ર્ઙ્મહ્વટ્ઠઙ્મ ઝ્રરૈીક ઈટીષ્ઠેંૈદૃી બનાવ્યા છે. આ નિમણૂક સાથે જ આ કંપની ભારતીય વડાઓ સાથેની કંપનીઓમાં પણ જાેડાઈ ગઈ છે. નાયર યુનિલિવરના ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર છે અને કંપનીના લીડરશિપ એક્ઝિક્યુટિવ (ેંન્ઈ)ના સભ્ય પણ છે. તે જાન્યુઆરીમાં ફ્રેન્ચ લક્ઝરી ફર્મમાં જાેડાશે. લીના મૂળ મહારાષ્ટ્રના કોલ્હાપુરની છે. તેણે કોલ્હાપુરની હોલી ક્રોસ કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ફ્રેન્ચ અબજાેપતિ અને એલેન વર્થેઇમર જેઓ તેમના ભાઈ ગેરાર્ડ વર્થેઇમર સાથે ચેનલ ધરાવે છે તેઓ વૈશ્વિક એક્ઝિક્યુટિવ ચેરમેનની ભૂમિકા સંભાળશે. નાયરની ૩૦ વર્ષની કારકિર્દી વૈશ્વિક કન્ઝ્‌યુમર ગુડ્‌સ કંપનીમાં છે, તાજેતરમાં તેઓએ એચઆર ચીફ અને યુનિલિવરની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય તરીકે સેવા આપી છે. આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્‌સ તેમના ટ્‌વીડ સુટ્‌સ, રજાઇવાળી હેન્ડબેગ્સ અને નં. ૫ પરફ્યુમ માટે જાણીતા શનૈલે કહ્યું કે નાયર જાન્યુઆરીમાં ગ્રુપમાં જાેડાશે. યુનિલિવરમાં તેની સમગ્ર કારકિર્દી દરમિયાન લેના હંમેશા ઉચ્ચ હોદ્દા પર રહી છે. જાે કે ઝ્રૐઇર્ં તરીકેની તેમની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ રહી. ઠન્ઇૈં ની સુવર્ણ ચંદ્રક વિજેતા લીના નાયરને માનવ સંસાધનની ઘણી સમસ્યાઓનો શ્રેય આપવામાં આવે છે. તેમાં ઝ્રટ્ઠિીીિ મ્અ ષ્ઠર્રૈષ્ઠીનો પણ સમાવેશ થાય છે. આ એક એવું પ્લેટફોર્મ છે જે કામ છોડી ચૂકેલી મહિલાઓને ફરીથી જાેડાવાની તક આપે છે.

મિસ યુનિવર્સ હરનાઝે પહેર્યો અધધ આટલા હજાર હીરા જડિત સૌથી મોંઘો તાજ, તેને મળશે આ પ્રિવિલેજ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More