179
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 ઑગસ્ટ, 2021
મંગળવાર
અફઘાનિસ્તાનમાંથી હજારો ભારતીયોને તેમજ અફઘાનિસ્તાનના હિન્દુ અને શીખ નાગરિકોને પાછા લાવવામાં આવ્યા બાદ ભારતે પણ અફઘાનિસ્તાનમાં પોતાનુ રેસ્ક્યુ મિશન સમાપ્ત કર્યું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ રેસ્ક્યૂ માટે ઉપયોગમાં લેવાયેલા ભારતીય વાયુસેનાના સી-17 અને સી-130 વિમાનો પોતાના બેઝ પર પાછા આવી ચુકયા છે.
ભારતે પોતાના કેટલાક વિમાનોને તાજિકિસ્તાનમાં આવેલા એરબેઝ પર તૈનાત કરાયા હતા. આ વિમાનોનો ઉપયોગ અફઘાનિસ્તાનમાંથી લોકોને ભારત પાછા લાવવા માટે કરાયો હતો.
રેસ્ક્યુ મિશન માટે સાથે સાથે એર ઈન્ડિયાના વિમાનોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો.
ભારત સરકાર આ દરમિયાન અમેરિકા અને તાજાકિસ્તાન જેવા વિવિધ દેશોના સંપર્કમાં હતી.
બહુ તનાવપૂર્ણ સ્થિતિમાં ભારતે હજારો લોકોને અફઘાનિસ્તાનમાંથી પાછા લાવવા માટેનુ મિશન પાર પાડ્યુ હતુ.
You Might Be Interested In