Site icon News Continuous Bureau | Mumbai

Iran Israel Conflict : ઇઝરાયલે અમારા પર હુમલો કર્યો, ભારત તેના પર દબાણ બનાવે… ઇસ્લામિક દેશે કરી અપીલ; જાણો ભારતનો જવાબ..

Iran Israel Conflict : ઈરાને ભારતને ઈઝરાયલ પર દબાણ લાવવાની અપીલ કરી છે. ભારતમાં ઈરાનના ડેપ્યુટી એમ્બેસેડર મોહમ્મદ જાવદ હુસૈનીએ નવી દિલ્હીને ઈઝરાયલની ખુલ્લેઆમ નિંદા કરવા અને તેના પર દબાણ લાવવાની અપીલ કરી છે. તેમણે IAEA ની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા હતા અને આશા વ્યક્ત કરી હતી કે પાકિસ્તાન ઈઝરાયલ સામે ઈરાનને સમર્થન આપશે. તેમણે ઈરાનની ગુપ્ત ક્ષમતાઓ વિશે પણ ચેતવણી આપી છે.

Iran Israel Conflict Iran urges like minded India and global allies to condemn Israeli military strikes

Iran Israel Conflict Iran urges like minded India and global allies to condemn Israeli military strikes

News Continuous Bureau | Mumbai

Iran Israel Conflict : ઈરાને ભારત અને અન્ય મિત્ર દેશોને ઈઝરાયલના લશ્કરી હુમલાઓની નિંદા કરવા હાકલ કરી છે, તેમને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે અને પ્રાદેશિક તેલ પુરવઠા માટે સંભવિત ખતરાની આશંકા વધી રહી છે. ઈરાની દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઓફ મિશન મોહમ્મદ જાવેદ હુસૈનીએ પણ આશા વ્યક્ત કરી હતી કે પાકિસ્તાન ઈરાનના હિતોને નુકસાન પહોંચાડે તેવું કંઈ કરશે નહીં.

Join Our WhatsApp Channel

Iran Israel Conflict :   આ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન 

દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઓફ મિશન મોહમ્મદ જાવેદ હુસૈનીએ એમ પણ કહ્યું કે ભારત ‘ગ્લોબલ સાઉથ’નું નેતા છે અને ઈરાનને આશા છે કે નવી દિલ્હી ઈઝરાયલના એક સાર્વભૌમ દેશ પર હુમલો કરીને આંતરરાષ્ટ્રીય કાયદાનું “ઉલ્લંઘન” કરવાના પગલાની નિંદા કરશે. અમારું માનવું છે કે ભારત સહિત દરેક દેશે આ (ઈઝરાયલી લશ્કરી કાર્યવાહી) ની નિંદા કરવી જોઈએ, ઈરાન સાથેના તેમના સંબંધોને કારણે નહીં પરંતુ કારણ કે આ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન છે. 

Iran Israel Conflict :  મિસાઇલ અને ડ્રોન હુમલા 

છેલ્લા એક અઠવાડિયાથી ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સેંકડો મિસાઇલ અને ડ્રોન હુમલા થઈ રહ્યા છે, જેમાં બંને પક્ષોએ એકબીજાના શહેરો અને લશ્કરી સ્થાપનોને નિશાન બનાવ્યા છે. ઈરાનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા 224 લોકો માર્યા ગયા છે, જેમાં મોટાભાગના નાગરિકો છે, જ્યારે ઇઝરાયલે દાવો કર્યો છે કે ઈરાની હુમલામાં 24 લોકો માર્યા ગયા છે.

Iran Israel Conflict : ભારતે  પોતાનું વલણ સ્પષ્ટ કર્યું 

ભારતે આ તણાવ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે તે બંને દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખે છે અને પરિસ્થિતિને બગડતી અટકાવવા માટે વાતચીત અને રાજદ્વારીતાને સમર્થન આપે છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, અમે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના તાજેતરના વિકાસથી ખૂબ ચિંતિત છીએ અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમે તમામ પક્ષોને સંયમ રાખવા અને રાજદ્વારી માર્ગ પર પાછા ફરવા વિનંતી કરીએ છીએ.

આ સમાચાર પણ વાંચો : Air India flight : દિલ્હીથી પુણે જઈ રહેલા એર ઇન્ડિયાના વિમાન સાથે અથડાયું પક્ષી, મુસાફરોનો જીવ પડીકે બંધાયો; ફ્લાઇટ રદ્દ..

Iran Israel Conflict : ઈરાન પાસે ઘણા વિકલ્પો છે

જોકે, ભારતે ઇઝરાયલી હુમલાઓની નિંદા કરતા શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) ના નિવેદનથી પોતાને દૂર રાખ્યા. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે ભારતે નિવેદન પરની ચર્ચામાં ભાગ લીધો નથી અને સંવાદ અને રાજદ્વારી દ્વારા તણાવ ઓછો કરવાની હિમાયત કરી છે. દરમિયાન, પ્રાદેશિક તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની શક્યતા પર પ્રશ્નો ઉભા થયા છે, જે વિશ્વના લગભગ 30 ટકા તેલ પુરવઠાનું વહન કરે છે. હુસેનીએ આનો સીધો જવાબ આપવાનું ટાળ્યું, પરંતુ કહ્યું કે ઈરાન પાસે ઘણા વિકલ્પો છે અને પરિસ્થિતિના આધારે નિર્ણય લેવામાં આવશે.

Nepal China Flood Tragedy નેપાળચીન સરહદે પૂરની ભયાનક તબાહી ચીને પહેલીવાર જાહેર કર્યો મૃત્યુઆંક, ઇમિગ્રેશન બિલ્ડિંગમાંથી ૩૧ મૃતદેહ મળ્યા
Trump Targets Iran Pickaxe Mountain ડોનાલ્ડ ટ્રમ્પના ટાર્ગેટ પર ઈરાનનું રહસ્યમય ‘પિકએક્સ માઉન્ટેન’! અમેરિકાએ આપી વહેલી તકે હુમલાની ચેતવણી
PM Modi| બાળકોના જીવનમાં પ્રવેશ કરવો પડશે, પીએમ મોદીએ શિક્ષકોને પુસ્તકોથી આગળ વધવા કરી અપીલ
Nepal Flash Flood Alert નેપાળ માં ફરી જળપ્રલયનું જોખમ, દાર્ચુલામાં ભૂસ્ખલનને કારણે હાઈએલર્ટ જાહેર
Exit mobile version