માત્ર એક દિવસ બાદ જ છૂટી ગયા ઇમરાન ખાન, પાક. સુપ્રીમ કોર્ટે આપી દીધી રાહત..આ તારીખ સુધી નહીં શકે ધરપકડ..

by kalpana Verat
Pakistan Ex- PM Imran Khan : Will Imran Khan's political career be put on hold?

 News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના વડા ઈમરાન ખાનને આજે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે. અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં હાઈકોર્ટે તેમને બે અઠવાડિયા માટે જામીન આપ્યા છે. સાથે જ, કોર્ટે કહ્યું કે ખાનને કોઈ પણ સંજોગોમાં 17 મે સુધી ધરપકડ ન કરવી જોઈએ.

કોર્ટમાં સુનાવણી દરમિયાન પીટીઆઈ સમર્થકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ઈમરાન ખાનના કેસની સુનાવણી માટે ત્રણ જજોની બેન્ચ હાજર રહી હતી.

સુનાવણી પહેલા ઈમરાન ખાન પોલીસ લાઈન્સમાં હાજર રહ્યો હતો. ભારે સુરક્ષા વચ્ચે તેને ઇસ્લામાબાદ કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન ઈમરાન ખાનના સમર્થકોએ ઈસ્લામાબાદનો શ્રીનગર હાઈવે બંધ કરી દીધો હતો. ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ દેશ મારો છે – ઈમરાન ખાન

ઇમરાન ખાને અલ-કાદિર ટ્રસ્ટ કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે ગમે તે થાય, તે દેશ છોડીને નહીં જાય. આ મારો દેશ છે, આ મારી સેના છે, આ મારી પ્રજા છે. આ પહેલા ઈમરાન ખાનની પાકિસ્તાન રેન્જર્સ ટીમે મંગળવારે (9 મે) ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી ધરપકડ કરી હતી. ધરપકડ બાદ દેખાવો શરૂ થઈ ગયા હતા, ત્યારબાદ પીટીઆઈના કાર્યકર્તાઓએ દેશના વિવિધ ભાગોમાં આગચંપી કરી હતી. આ પછી ગઈકાલે એટલે કે 11 મે ગુરુવારે સુપ્રીમ કોર્ટે ઈમરાનની ધરપકડને ગેરકાયદેસર ગણાવીને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

આ સમાચાર પણ વાંચો: પાકિસ્તાન હિંસા: સરકાર વિરોધી પ્રદર્શન કરનાર લોકો હવે સંરક્ષણ સંસ્થાઓને નિશાન બનાવી રહ્યા છે.

પીએમ શાહબાઝ શરીફના મંત્રીઓએ ઈમરાન ખાનના રિલીઝ ઓર્ડર પર નારાજગી વ્યક્ત કરી હતી. પાકિસ્તાનની સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબે તો સુપ્રીમ કોર્ટના જજને કહી દીધું કે આજે પાકિસ્તાન સળગી રહ્યું છે તેમ કાલે તમારું ઘર પણ સળગી જશે. આ સિવાય પીએમએલ-એન નેતા મરિયમ નવાઝ શરીફે પણ ઈમરાન ખાનને મુક્ત કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર કહ્યું કે તમે એક ગુનેગારને છોડવાનો આદેશ આપ્યો છે.

શહેબાઝ શરીફની કેબિનેટ બેઠક

જ્યારે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના કેસની સુનાવણી ચાલી રહી હતી, તે જ સમયે પીએમ શાહબાઝ શરીફ કેબિનેટની બેઠક કરી રહ્યા હતા. આજે શુક્રવારે (12 મે) કોર્ટે એ પણ જાહેરાત કરી હતી કે તોશાખાના કેસમાં નીચલી કોર્ટમાં જે પણ સુનાવણી થશે, તેણે આગળના આદેશો સુધી તેના પર સ્ટે મૂકવાનો નિર્ણય કર્યો છે. ઈમરાન ખાન પર પહેલાથી જ સેંકડો કેસ ચાલી રહ્યા છે, જેના કારણે સરકાર તેમની એક યા બીજા કેસમાં ધરપકડ કરવા માંગે છે.

આ સમાચાર પણ વાંચો કામના સમાચાર : પૂર્વ ઉપનગરોના ‘આ’ વોર્ડમાં દર શનિવારે પાણી બંધ રહેશે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More