Site icon

Israel-Hamas War: આંતરરાષ્ટ્રીય કોર્ટના આદેશ બાદ નેતન્યાહ ભડક્યા, કહયું આ નિર્ણય અપમાનજનક.. ગાઝામાં યુદ્ધ ચાલુ રહેશે..

Israel-Hamas War: ઈન્ટરનેશનલ કોર્ટના નિર્ણય બાદ ઈઝરાયલે કોર્ટની ટીકા કરી હતી. ઈઝરાયેલે પ્રતિજ્ઞા લીધી છે કે દેશની સુરક્ષા માટે જે પણ જરૂરી હશે તે કરવામાં આવશે.

Israel-Hamas War Netanyahu rages after international court order, says this decision is humiliating.. The war in Gaza will continue.

Israel-Hamas War Netanyahu rages after international court order, says this decision is humiliating.. The war in Gaza will continue.

News Continuous Bureau | Mumbai 

Israel-Hamas War: ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ( Benjamin Netanyahu ) ગાઝામાં નરસંહારના આરોપોને ખોટા અને અપમાનજનક ગણાવતા ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના ( International Court of Justice ) આદેશને ફગાવી દીધો હતો. નેતન્યાહુએ વિશ્વના તમામ લોકોને આ આરોપને નકારી કાઢવાની અપીલ કરી છે. 

Join Our WhatsApp Community

નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય અદાલતે પોતાના આદેશમાં કહ્યું હતું કે ઈઝરાયેલ ( Israel ) એ સુનિશ્ચિત કરે કે તેના સૈનિકો ગાઝામાં નરસંહાર ન કરે અને માનવતાવાદી પરિસ્થિતિને સુધારવા માટે પગલાં લે. ICJએ ઇઝરાયેલને આદેશ જાળવવા માટે તેની કાર્યવાહી અંગે એક મહિનાની અંદર રિપોર્ટ કરવા જણાવ્યું હતું. ICJ પ્રમુખ જોન ડોનોઘુએ કહ્યું કે કોર્ટ ગાઝામાં ( Gaza ) માનવતાવાદી દુર્ઘટનાથી સંપૂર્ણ રીતે વાકેફ છે અને નરસંહાર અંગે ઊંડી ચિંતિત છે. પરંતુ ઈઝરાયલે કોર્ટના આ આદેશને ફગાવી દીધો અને કહ્યું કે ઈઝરાયેલ પોતાની સુરક્ષા માટે જે પણ જરૂરી હશે તે કરશે.

એક રિપોર્ટ અનુસાર નેતન્યાહુએ કહ્યું કે ઈઝરાયેલ આતંકવાદી સંગઠન હમાસ ( Hamas ) વિરુદ્ધ પોતાનું સ્વરક્ષણ અભિયાન ચાલુ રાખશે. તેમણે કહ્યું કે ઈઝરાયલ આંતરરાષ્ટ્રીય કાયદા પર અડગ છે અને તે પોતાના દેશની સુરક્ષા માટે પણ એટલું જ મક્કમ અને પ્રતિબદ્ધ છે. નેતન્યાહુએ કહ્યું કે ઈઝરાયેલને પોતાના દેશની રક્ષા કરવાનો અધિકાર છે, યહૂદીઓ પાસેથી આ મૂળભૂત અધિકાર છીનવી લેવાનો ઘૃણાસ્પદ પ્રયાસ થઈ રહ્યો છે.

 ઈઝરાયેલનું યુદ્ધ હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ છે, પેલેસ્ટિનિયન નાગરિકો વિરુદ્ધ નહીંઃ નેતન્યાહુ..

ઈઝરાયેલના વડાપ્રધાને કહ્યું કે 7 ઓક્ટોબરે હમાસે યહૂદી લોકો પર ભારે બોમ્બ ફેંક્યા અને ભયંકર અત્યાચારો કર્યા. ઉપરાંત, હમાસ તેના હુમલાનું વારંવાર પુનરાવર્તન કરવાની પ્રતિજ્ઞા લે છે. નેતન્યાહુએ કહ્યું કે ઈઝરાયેલનું યુદ્ધ હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ છે, પેલેસ્ટિનિયન નાગરિકો વિરુદ્ધ નહીં. તેમણે કહ્યું કે અમે યુદ્ધ દરમિયાન પેલેસ્ટાઈનીઓને તમામ માનવતાવાદી સહાયતા આપવાનું ચાલુ રાખીશું. ત્યાંના નાગરિકોને નુકસાનથી દૂર રાખવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવશે. પરંતુ હમાસ ત્યાંના નાગરિકોનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Dunki: આંતરરાષ્ટ્રીય વાગ્યો ડંકી નો ડંકો, આ દેશની સંસદમાં બતાવાશે શાહરૂખ ખાનની ફિલ્મ.

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકાએ હમાસ વિરુદ્ધ ઈઝરાયેલ પર નરસંહારનો ( genocide ) આરોપ લગાવીને ઈન્ટરનેશનલ કોર્ટમાં સીઝફાયર રોકવાની માંગ કરી હતી. આના પર, સંયુક્ત રાષ્ટ્રની ટોચની અદાલતનું કહેવું છે કે તે ગાઝામાં ઇઝરાયેલ પર નરસંહારનો આરોપ લગાવતા કેસને નકારી કાઢશે નહીં. ગાઝામાં હમાસ વિરુદ્ધ ઈઝરાયેલના યુદ્ધમાં 26,000 થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. આ સંઘર્ષ ઓક્ટોબર 7 ના રોજ ઇઝરાયેલ પર હમાસના હુમલાના જવાબમાં શરૂ થયો હતો, જેમાં મહિલાઓ અને બાળકો પણ મૃત્યુ પામ્યા હતા.

જો કે, એપીના અહેવાલ મુજબ, યુએનની સર્વોચ્ચ અદાલતે ગાઝામાં યુદ્ધવિરામનો આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો પરંતુ ઈઝરાયેલને જાનમાલના નુકસાનને રોકવા માટે પ્રયત્નો કરવા કહ્યું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

US India Tariff Deal: ભારતીય નિકાસકારોની લોટરી લાગી! ટ્રમ્પે ટેરિફ ઘટાડીને 10% કરી, અમેરિકામાં મેડ-ઈન-ઈન્ડિયા વસ્તુઓ વેચવી હવે થશે સસ્તી..
PM Modi Israel Visit: ડ્રેગન અને પાકિસ્તાનની ઊંઘ ઉડશે! ઇઝરાયેલ સાથે અત્યાધુનિક લેઝર ટેકનોલોજીનો સોદો કરશે ભારત; પીએમ મોદીનો માસ્ટરપ્લાન
Viral Video: ‘બોર્ડ ઓફ પીસ’ માં ડ્રામા! ટ્રમ્પના ઈશારે શહબાઝ શરીફની એક્શન કેમેરામાં કેદ, જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ ક્લિપ..
Donald Trump: શું ટ્રમ્પના કારણે અટક્યું હતું ભારત-પાકિસ્તાનનું મહાયુદ્ધ? ૨૦૦% ટેરિફની ધમકી અને ૧૧ જેટ તોડી પડાયાના દાવા પાછળનું શું છે સત્ય?.
Exit mobile version