Israel Hamas War: લ્યો બોલો, અમેરિકી રાષ્ટ્રપતિએ ઈઝરાયેલ પર હુમલાનું આપ્યું એવું કારણ, હવે વ્હાઇટ હાઉસે આપવી પડી આ સ્પષ્ટતા..

Israel Hamas War: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. દરમિયાન, અમેરિકામાં, વ્હાઇટ હાઉસે રાષ્ટ્રપતિ જો બિડેનના નિવેદન પર સ્પષ્ટતા કરવી પડી. બિડેને ઇઝરાયેલ પર હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા પાછળના સંભવિત કારણ અંગે નિવેદન આપ્યું હતું. બાદમાં વ્હાઇટ હાઉસે આ નિવેદન પાછું ખેંચ્યું હતું.

by NewsContinuous Bureau
Israel Hamas War: White House clarifies Joe Biden's remarks on IMEC and Hamas Attack as 'misunderstood'

News Continuous Bureau | Mumbai

Israel Hamas War: ઇઝરાયેલ અને હમાસ  ( Israel and Hamas ) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન, યુએસ પ્રમુખ જો બિડેને  ( US President Joe Biden  ) બુધવારે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સાથે વાત કરતા એક મોટું નિવેદન આપ્યું હતું. રાષ્ટ્રપતિ બિડેને આ નિવેદનમાં કહ્યું હતું કે તેઓ માને છે કે હમાસ દ્વારા ઇઝરાયેલ પર કરવામાં આવેલો હુમલાનું એક કારણ ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર પણ હોઈ શકે છે. મારો અંતરાત્મા જણાવે છે કે ઇઝરાયેલ પર હમાસ હુમલાનું એક કારણ હોઈ શકે. જોકે આના મારી પાસે એના કોઈ પુરાવા નથી.

તમને જણાવી દઈએ કે ભારત- મધ્ય પૂર્વ યુરોપ ઇકોનોમિક કોરિડોરની જાહેરાત થોડા દિવસ પહેલાં ભારતની રાજધાની નવી દિલ્હીમાં આયોજિત G20 સંમેલન દરમિયાન થઈ હતી. આ આર્થિક કોરિડોર ભારતથી શરૂ થઈને UAE, સાઉદી અરેબિયા દ્વારા યુરોપના દેશોને ફ્રાંસ, ઇટાલી અને જર્મનીને જોડશે.

આ સમાચાર પણ વાંચો : Surat: દિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે સુરત વિભાગ એસ.ટી.નિગમ ૨૨૦૦થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

વ્હાઇટ હાઉસે આપ્યું આ સ્પષ્ટીકરણ

ભારત મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર પર યુએસ પ્રમુખ જો બિડેનના નિવેદન પર, વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કર્યું કે ઇઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમલા પાછળના કારણો વિશેની તેમની થિયરીને ખોટી રીતે સમજવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગત 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો, જેમાં અત્યાર સુધીમાં 1400 થી વધુ ઈઝરાયેલના મોત થયા છે.

ઇઝરાયેલ અને સાઉદી અરેબિયા સંબંધો

ઇઝરાયેલ પર હમાસના હુમલા પાછળના કારણ અંગેના પ્રશ્નના જવાબમાં યુએસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના રાજકીય સંચાર સંયોજક જોન કિર્બીએ કહ્યું કે રાષ્ટ્રપતિ જો બિડેનને ગલત સમજવામાં આવ્યાં છે. જોન કિર્બીએ કહ્યું કે મને લાગે છે કે તેમને ગેરસમજ થઈ છે. તેમણે જે કહ્યું તેનો અર્થ એ હતો કે અમે ઇઝરાયેલ અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધોને ઠીક કરવા માટે જે કરાર પર કામ કરી રહ્યા છીએ. તેને બગાડવા માટે, હમાસે તે હુમલાઓ કર્યા. કિર્બીએ પત્રકારને કહ્યું હતું કે મને લાગે છે કે આ મુદ્દે ગેરસમજ થઇ છે.

અઠવાડિયામાં બે વાર ઉલ્લેખ

જો બિડેને બુધવારે એક સંયુક્ત પત્રકાર પરિષદમાં પત્રકારોને જણાવ્યું હતું કે ઇઝરાયેલ-હમાસ યુદ્ધનું તેમનું વિશ્લેષણ તેમની વૃત્તિ પર આધારિત છે. તેમની પાસે આ માટે કોઈ પુરાવા નથી. તમને જણાવી દઈએ કે એક અઠવાડિયાથી ઓછા સમયમાં આ બીજી વખત બન્યું છે જ્યારે બિડેને હમાસ દ્વારા આતંકવાદી હુમલાના સંભવિત કારણ તરીકે ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (IMEC) નો ઉલ્લેખ કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : Election 2023: ચૂંટણી સિઝનમાં એક્શનમાં ચૂંટણી પંચ.. હિમંતા બિસ્વા, પ્રિયંકા ગાંધી અને કેન્દ્ર સરકારને ચુંટણી પંચની નોટિસ… જાણો શું છે આ મામલો..વાંચો વિગતે અહીં..

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More