2050 સુધીમાં જાપાનમાં શૂન્ય ઉત્સર્જન… કાર્બન પ્રદુષણ રહીત સમાજનું લક્ષ્ય.. આમાંથી ભારત પણ ઘણું શીખી શકે છે. 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

27 ઓક્ટોબર 2020

જાપાન 2050 સુધીમાં ગ્રીનહાઉસ બનવાના લક્ષ તરફ આગળ વધી રહ્યું છે. પ્રદુષણ અને કાર્બન વગરનો દેશ બનવાનું લક્ષ્ય ધરાવે છે. સોમવારે વડા પ્રધાન યોશીહિદ સુગાએ હવામાન પરિવર્તન અંગે તેમના દેશની પરિસ્થિતિમાં મોટા ફેરફારની વ્યૂહરચના રજૂ કરી. આ ધ્યેય યુરોપ સાથે પણ મેળ ખાય છે. નોંધપાત્ર વાત એ છે કે ગયા વર્ષે યુરોપિયન યુનિયન દ્વારા કરાર કરવામાં આવ્યો હતો કે 2050 સુધીમાં ઇયુના સભ્ય દેશો કાર્બન તટસ્થ બનશે.

જાપાન વિશ્વનો પાંચમો સૌથી મોટો કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન કરતો દેશ છે અને હવે નવીનીકરણીય ઉર્જાને પ્રોત્સાહન આપવા માટેના નવા પગલાં લેવામાં આવી રહ્યા છે. સાથે સાથે નવા કોલસા સંચાલિત પાવર પ્લાન્ટો ખોલવાની યોજના પણ બનાવવામાં આવી રહી છે. સુગા કહે છે કે આ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે, નવા સોલર સેલ્સ અને કાર્બન રિસાયક્લિંગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને જાપાન આ ક્ષેત્રના સંશોધન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. શિન્ઝો આબેને બદલ્યા પછી, તેઓ સમાજને ડિજિટાઇઝેશન કરવાના લક્ષ્ય પર પણ કામ કરી રહ્યા છે..

ગયા સપ્તાહે, સુગાએ દક્ષિણ પૂર્વ એશિયન દેશો સાથેના સંબંધો સુધારવાના આશય સાથે પદ સંભાળ્યા પછી પહેલીવાર વિયેટનામ અને ઇન્ડોનેશિયાની મુલાકાત લીધી હતી. સુગા દક્ષિણ ચીન સમુદ્રમાં ચાલી રહેલા વિવાદ અંગે પહેલાથી સાવધ છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More