મોરેશિયસના પૂર્વ રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન અનિરુધ જગન્નાથનું 91 વર્ષની વયે નિધન થયું છે.
પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત અનિરુધ જગન્નાથ, એક મહાન નેતા અને રાજકારણી, આધુનિક મોરેશિયસના આર્કિટેક્ટ હતા.
તે એક એવા રાજનેતા હતા જેમણે મોરેશિયસના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ બંને તરીકે સેવા આપી છે. 2003 થી 2012 સુધી તેઓ દેશના રાષ્ટ્રપતિ હતા. આ પહેલા તેઓ દેશના વડા પ્રધાન હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરે જગન્નાથના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
