યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે સરકારે જાહેર કરી નવી એડવાઈઝરી, આ કામ ન કરવાની આપી સલાહ; જાણો વિગતે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,  

શનિવાર,

યુક્રેન અને રશિયામાં ચાલી રહેલા જંગથી હાલત અત્યંત ખરાબ થઈ રહી છે. 

આ તમામની વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે ભારત સરકારે નવી એડવાઈઝરી જાહેર કરી છે.

નવી એડવાઈઝરી મુજબ  ત્યાં ફસાયેલા લોકોને બોર્ડર એરિયામાં જવાની સખ્ત મનાઈ કરવામાં આવી છે. 

MEA તરફથી ટ્વિટ કરીને કહેવામાં આવ્યું છે કે, તમામ ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે, બોર્ડર પોસ્ટ પર ભારત સરકારના અધિકારી સાથે સલાહ લીધા વગર ન જવું.

ઉલ્લેખનીય છે કે, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની વાપસી શરૂ થઈ ગઈ છે. રોમાનિયાના રસ્તે આ તમામને સ્વદેશ પાછા લાવવામાં આવી રહ્યા છે.

રશિયા યુક્રેન યુદ્ધનો ત્રીજા દિવસ, યુક્રેને આ બે વિશાળ રશિયન એરક્રાફ્ટને તોડી પાડવાનો કર્યો દાવો, જાણો વિગતે

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More