ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 17 ડિસેમ્બર 2021
શુક્રવાર.
કોરોનાનો ઓછાયો મિસ વર્લ્ડ-2021ની ઈવેન્ટ પર પણ પડ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ હાલના તબક્કે કોરોનાના કારણે આ ઈવેન્ટને પોસ્ટપોન કરી દેવામાં આવી છે.
ભારતનુ પ્રતિનિધિત્વ આ સ્પર્ધામાં કરનાર મિસ ઈન્ડિયા અને મોડેલ મનસા વારણસી સહિત 17 લોકો પોઝિટિવ હોવાનુ બહાર આવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે.
હાલમાં મિસ વર્લ્ડના સ્પર્ધકોને પ્યોરટો રિકો દેશમાં આઈસોલેશનમાં રાખવામાં આવી છે.
એવુ કહેવાય છે કે, સ્વાસ્થ્ય અધિકારીઓની મંજૂરી મળ્યા બાદ સ્પર્ધકોને ઘરે જવાની પરવાનગી આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અહીંયા જ ફાઈનલ યોજવાની હતી પણ હવે ફાઈનલની તારીખો નવેસરથી નક્કી કરવામાં આવશે.
શું બોરીવલી અને ગોરાઈનો પુલ વધુ એક વખત લટકી પડશે? ગોરાઈ ગ્રામવાસીઓએ આ પગલું ભર્યું. જાણો વિગત..
