Site icon

સાવધાન રહેજો- આ વેક્સિન લેવાથી વધી શકે છે હાર્ટ એટેકનો ખતરો- થયો ચોંકાવનારો ખુલાસો

News Continuous Bureau | Mumbai

કોરોના વાયરસ(Coronavirus) વિરુદ્ધ ઉપયોગમાં લેવાતી મેસેન્જર રાઈબોઝ ન્યુક્લિક એસિડ એટલે કે, mRNA વેક્સિનને લઈને ચોંકાવનારા સમાચારો આવ્યા છે. ફ્લોરિડાના સર્જન જનરલ ડો. જાેસેફ એ લાડાપોએ શનિવારે ચેતેવણી આપતા કહ્યું કે, mRNA કોવિડ વેક્સિન ન લગાવવાની ભલામણ કરી છે. તેમણે કહ્યું કે, આ કોરોના વેક્સિન લગાવવાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. ખાસ કરીને ૧૮થી ૩૯ વર્ષની ઉંમરવાળા પુરુષોમાં હ્‌દય સંબંધી મોતનો ખતરો વધી જાય છે.

Join Our WhatsApp Community

 

મીડિયા રિપોર્ટ અનુસાર, સર્જન જાેસેફ લાડાપોએ ટિ્‌વટ કરીને જણાવ્યુ છે કે, આજે અમે કોવિડ mRNA વેક્સિન પર વિશ્લેષણ જાહેર કર્યુ છે, જેને લઈને જનતાને જાગૃત કરવાની જરૂર છે. આ વિશ્લેષણથી જાણવા મળે છે કે, તેનાથી ૧૮થી ૩૯ વર્ષના પુરુષોમં હ્‌દય સંબંધી મોતનો ખતરો વધી જાય છે. અમે આ ખતરાને જોતાં ચુપ બેસી શકીએ નહીં.

આ સમાચાર પણ વાંચો :  Airtel 5G Plus- આઠ શહેરમાં થયું લૉન્ચ- પ્લાનની શરૂઆતની કિંમત 249 રૂપિયા

હકીકતમાં જોઈએ તો, ફ્લોરિડા હેલ્થ ડિપાર્ટમેન્ટે વેક્સિન સુરક્ષાનું મૂલ્યાંકન કરવા માટે એક સેલ્ફ કંટ્રોલ્ડ કેસ સીરીઝ દ્વારા વિશ્લેષણ કર્યું છે. આ વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, mRNA કોવિડ રસીકરણ બાદ મૃત્યુદરનું જાેખમ વધી જાય છે. ફ્લોરિડા હેલ્થ ડિપાર્ટમેંન્ટે એ લોકોને સલાહ આપી છે, જેમને પહેલાથી હાર્ટ સંબંધી બિમારીઓ જેમ કે, માયોકાર્ડિટિસ અને પેરિકાર્ડિટિસથી પીડિત છે. તેઓ રસી લેતા પહેલા સાવધાની રાખે અને સ્વાસ્થ્ય સાથે જાેડાયેલા લોકો સાથે ચર્ચા કરવી.

જાે કે ફ્લોરિડા હેલ્થ ડિપાર્ટમેન્ટે બિન એમઆરએનએ વેક્સિનને લઈને કહ્યું કે, તેમાં આ પ્રકારના જોખમ જાેવા મળ્યા નથી. 
સર્જન જનરલ ડો. જોસેફ લાડાપોએ કહ્યું કે, રસી સહિત કોઈ પણ દવાની સુરક્ષા અને પ્રભાવકારિતાનું અદ્યયન સાર્વજનિક સ્વાસ્થ્યનું એક મહત્વનું ઘટક છે. તેમણે કહ્યું કે, રસીની સુરક્ષા પર ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે અને કેટલીય વ્યક્તિઓની ચિંતાઓ ફગાવી દેવામાં આવી છે. આ મહત્વનું તારણ છે કે, ફ્લોરિડિયનોને સૂચિત કરવા જાેઈએ.

આ સમાચાર પણ વાંચો : એકનાથ શિંદે આ ઇલેક્શન સિમ્બોલ માટે આગ્રહ કરશે.

US Politics: શાંતિ સ્થાપવા છતાં ટ્રમ્પ નિશાના પર! સીઝફાયર બાદ અમેરિકામાં કેમ ગુંજ્યા ‘ટ્રમ્પ રાજીનામું આપો’ ના નારા?
Netanyahu Lebanon Ceasefire Denial: લેબનોનમાં કોઈ સીઝફાયર નહીં’, નેતન્યાહુના આ આકરા એલાનથી US-ઈરાન યુદ્ધવિરામ પર ઉઠ્યા ગંભીર સવાલો!
US Iran Ceasefire: સીઝફાયરના સમાચારથી ઈરાનમાં ખુશીની લહેર, અયાતુલ્લા ખામેનેઈનો સંદેશ ફરી ચર્ચામાં.
US accepts Iran’s conditions: અમેરિકા-ઈરાન ડીલ: ઈરાને રજૂ કર્યો 10 મુદ્દાનો એજન્ડા, જાણો કઈ શરતો પર અમેરિકાએ મારી મહોર
Exit mobile version