ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઓગસ્ટ, 2021
ગુરુવાર
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના લાહોર કિલ્લા ખાતે મહારાજા રણજીતસિંહની પ્રતિમાની તોડફોડ કરનારાઓને પકડવાનો પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને આદેશ આપ્યો છે.
શીખ સમુદાયના 19મી સદીના શાસક મહારાજા રણજીતસિંહની 9-ફૂટની કાંસ્યની પ્રતિમાને લાહોર કિલ્લામાં પ્રતિબંધિત સંગઠન તેહરીક-એ-લબ્બાઈક પાકિસ્તાન (ટીએલપી)ના એક કાર્યકર્તાએ તોડફોડ કરી હતી.
હુમલાખોરોએ હાથથી પ્રતિમાના પગ અને બીજો હિસ્સો તોડી નાંખ્યો હતો.
જોકે હુમલાખોરો વધારે નુકસાન પહોંચાડે તે પહેલા બીજા લોકોએ આવીને તેમને રોકી લીધા હતા.
લાહોર કિલ્લાના વહીવટીતંત્રએ પણ આરોપી સામે કડક પગલું ભરવાનું કહ્યું છે. રણજીતસિંહની પ્રતિમાને તોડવાની ઘટનાને ભારત સરકારે વખોડી કાઢી છે અને આવા હુમલા રોકવામાં પાકિસ્તાન સરકારની નિષ્ફળતાની ઝાટકણી કાઢી છે.
ઑનલાઇન શિક્ષણની આડઅસર, દેશના 53 ટકા વાલીઓ બાળકોને સ્કૂલ મોકલવા તૈયાર